સોશિયલ મીડિયા આજે ઘણા લોકોની લાઇફનો મહત્વનો ભાગ બની ગયું છે. ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણએ દરેક પ્રકારના મેસેજ એક બીજાને મોકલીએ છીએ. કેટલીક વખત આપણે મેસેજ વાંચ્યા વગર જ આગળ ફોરવર્ડ કરી દઇએ છીએ, જે બાદમાં અફવાનું રૂપ લે છે.
હાલના દિવસોમાં વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે કે દરરોજ રાતે 11:30 થી સવારે 6 વાગ્યા સુધી વોટ્સએપ બંધ રહેશએ. આ મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે આ મેસેજને ફોરવર્ડ કરતા નથી તો 48 કલાકમાં તમારું વોટ્સએપ બંધ થઇ જશે અને ફરીથી એને એક્ટિવેટ કરવા માટે 499 રૂપિયા આપવા પડશે. તો ચલો જાણીએ આ મેસેજની સચ્ચાઇ માટે...
મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ભારતમાં વોટ્સએપનો ઉપયોગ 11:30 થી લઇને સવાર છ વાગ્યા સુધી થઇ શકશે નહીં. એ દરમિયાન વોટ્સએપ આખું બંધ રહેશે. મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરાકર વોટ્સએપ ઉપયોગને લઇને નવો કાયદો લાવવાની છે. મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પિક્ચર અપડેટમાં સમસ્યા આવી રહી છે, પરંતુ કંપની એની પર કામ કરી રહી છે અને જલ્દી જ એને ફિક્સ કરી લેવામાં આવશે. મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે આ મેસેજને 10 લોકોને ફોરવર્ડ કરો, નહીં તો 48 કલાકમાં અકાઉન્ટ બંધ થઇ જશે.
સૌથી પહેલા તમને જણાવી જઇએ કે દૂરસંચાર અને સૂચના અને પ્રૌધોગિકી મંત્રાલયે આ પ્રકારની કોઇ નોટિસ જારી કરી નથી. સાથે જ કોઇ પણ સોશિયલ મીડિયા કંપનીએ આ પ્રકારે કોઇ સત્તાવાર મેસેજ આપ્યો નથી. એવામાં મેસેજમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. એવામાં તમારે આ વાતથી ડરવાની જરૂર નથી કે તમારું વોટ્સએપ બંધ થઇ જશે અને તમારે એને ચાલુ કરાવવા રૂપિયા આપવા પડશે.