Whatsapp પોતાના ભારતીય યૂઝર્સ માટે મોટો નિર્ણય લેવા જઇ રહ્યું છે. વોટ્સએપ પર સતત ફેલાવામાં આવી રહેલી અફવાઓ અને મોબ લિચિંગની ઘટનાઓને રોકવા માટે કંપની એક એવી ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે જેને આવ્યા બાદ તમે ઘણા બધા ગ્રુપમાં મેસેજ કરી શકશો નહીં. એટલે કે વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરવાની સીમા નક્કી કરવા જઇ રહ્યું છે.
વોટ્સએપએ પોતાના બ્લોગ પોસ્ટ દ્વારા આ માટેની જાણકારી આપી છે. વોટ્સએપએ બ્લોગમાં કહ્યું છે કે એ ભારતીય યૂઝર્સ માટે જલ્દી જ એક નવું ફીચર લોન્ચ કરનાર છે ત્યારબાદ વીડિયો અને મેસેજ એક મર્યાદિત સંખ્યા અને સીમિત ગ્રુપમાં જ ફોરવર્ડ કરી શકાશે.
નવા એપડેટ બાદ વોટ્સએપ પર મેસેજને તરત ફોરવર્ડ પણ કરી શકાશે. એના માટે એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી રહી છે. સાથે જ ભારતીય યૂઝર્સ જ્યાં એક વખતમાં માત્ર 5 ગ્રુપમાં જ કોઇ મેસેજને ફોરવર્ડ કરી શકશે તો બીજા દેશોના યૂઝર્સ એક વખતમાં 20 અલગ અલગ ગ્રુપમાં કોઇ મેસેજ અથવા વીડિયોને ફોરવર્ડ કરી શકશે. જમાવી દઇએ કે ભારતમાં વોટ્સએપ પર દુનિયાના કોઇ પણ દેશની સરખામણી સૌથી વધારે વીડિયો અને મેસેજ ફોરવર્ડ કરવામાં આવે છે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે વોટ્સએપને બીજી વખત નોટિસ જારી કરી છે. એમાં કડક પગલાં ભરવાની સલાહ આપતા સરકારે કહ્યું છે કે વોટ્સએપ ખોટી અફાઓને રોકે નહીં તો કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહે. સરકારે વોટ્સએપ ચેતવણી આપતા કહ્યું કે એ પોસ્ટ રોકવા વિરુદ્ધ જરૂરી પગલાં ઊઠાવી રહ્યું નથી.