વોટ્સએપએ સપ્ટેમ્બરમાં ભારત સરકારને જણાવ્યું હતું કે 121 ભારતીય યૂઝર્સને ઇઝરાયલી સ્પાઇવેયર પેગાસસે નિશાન બનાવ્યા છે. બીજી તરફ ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોચી મિનિસ્ટ્રીએ કહ્યું છે કે તેને વોટ્સએપથી જે માહિતી મળી હતી તે અધૂરી હતી.
વોટ્સએપે સરકારને લેખિતમાં આપ્યો જવાબ
સપ્ટેમ્બરમાં જ સરકારને હેકિંગ અંગેની જાણકારી અપાઈ હતી
વોટ્સએપના જવાબ બાદ સરકારની પ્રતિક્રિયા
વોટ્સએપ હેંકિગ દ્વારા જાસૂસી થવાના મામલે વ્હોટ્સએપે સરકારને લેખિતમાં જવાબ આપ્યો છે. તેમાં તેમણે જણાવ્યુ છે કે સપ્ટેમ્બરમાં જ સરકારને હેકિંગ અંગેની જાણકારી આપવામાં આવી હતી. તેમજ મે મહિનામાં પણ સરકારને હેકિંગ થયું હોવાની જાણકારી આપવામાં આવી હતી. તેમજ ઇનફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના અધિકારીઓએ પણ વ્હોટ્સએપે અગાઉ જાણ કરી હોવાનો સ્વીકાર કર્યો છે.
આ તરફ વોટ્સએપના જવાબ બાદ સરકારે આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમાં તેમણે જણાવ્યુ છે કે વોટ્સએપે અગાઉ આપેલી માહિતી અપૂરતી અને જટીલ હોવાનો સરકારે દાવો કર્યો છે. તેમજ અગાઉની જાણકારી મુજબ વોટ્સએપે સરકારે પૂછેલા પ્રશ્નોનો જવાબ ન આપ્યો હોવાનો પણ સરકારે દલીલ કરી છે.
મહત્વનું છે કે વોટ્સએપ દ્વારા હેકિંર દ્વારા થયેલી જાસૂસી અંગે સરકારે જવાબ માગ્યો હતો. ઈઝરાયીલી જાસૂસી એજન્સી `સ્પાયવેર પેગાસસ' દ્વારા 121 ભારતીયોની જાસૂસી થઈ હતી. જેમાં ઈઝરાયીલી સ્પાયવેર દ્વારા ભારતના પત્રકારો, રાજનેતા, ચળવળકારોની જાસૂસી થઈ હતી. વોટ્સએપમાં વીડિયો કોલિંગ મારફતે યુઝર્સને મેસેજ દ્વારા માલવેર મોકલવામાં આવ્યો હતો. આ માલવેર મેસેજ પ્રિયંકા ગાંધીને પણ મળ્યો હોવાનો દાવો કોંગ્રેસ કરી ચૂકયું છે.
તેમજ આ મામલે ઘણા સવાલો પણ થઇ રહ્યાં છે કે જો વોટ્સએપે આપેલી માહિતી અપૂરતી અને જટીલ હોય તો ત્યારે જ કેમ પૂછીને જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ન હતો. પરંતુ અત્યારે માહિતી લિક થયા બાદ સરકારી સફાળી જાગી ગઇ છે.