ન્યૂ દિલ્હીઃ વોટ્સએપે આગામી વર્ષનાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને પોતાનાં પ્લેટફોર્મને આધારે ફર્જી ખબરોનાં પ્રચાર- પ્રસારને રોકવા માટે રેડિયો બાદ હવે ટેલિવિઝન પર જાહેરાત પ્રસારિત કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તેને ભારતમાં પોતાનાં ઉપભોક્તાઓની ઉપર સઘન સંશોધન કર્યું અને બાદમાં તેઓનાં અનુભવોનાં આધારે ત્રણ ટીવી જાહેરાત તૈયાર કર્યા છે.
કંપનીએ કહ્યું કે "ત્રણેય જાહેરાત ટેલિવિઝન ફેસબુક અને યૂટ્યૂબ પર નવ ભાષાઓમાં ઉપલબ્ઘ હશે તથા તેમની વોટ્સએપનાં ઉપભોક્તાઓની વચ્ચે વ્યાપક પહોંચ હશે. આનું પ્રસારણ રાજસ્થાન અને તેલંગાનામાં ચૂંટણી પહેલા જ શરૂ થઇ જશે."
આ જાહેરાત અંગ્રેજી હિંદી બાંગ્લા કન્નડ તેલુગુ અસમિયા ગુજરાતી મરાઠી અને મલયાલમમાં ઉપલબ્ધ થશે. આ 60 સેકન્ડ લાંબી ફિલ્મનાં રૂપમાં હશે.
કંપનીએ કહ્યું કે આ જાહેરાતોને ખબર અને સિનેમાની ચેનલો સાથે અનેક ચેનલો પણ પ્રસારિત કરવામાં આવશે. બાદમાં તેને ઓનલાઇન અને પ્રિન્ટની જાહેરાતને આધારે પણ પ્રસારિત કરવામાં આવશે.
કંપનીએ ખોટી અફવાઓ પર લગામ લગાવવા માટે ઓગસ્ટમાં રેડિયોને આધારે આ અભિયાનની શરૂઆત કરી હતી. કંપનીને ખોટી અફવાઓને લઇને સરકારનાં મોટા રૂલનો સામનો કરવો પડી રહ્યો છે.