દુનિયાની સૌથી પોપ્યુલર એપ વોટ્સએપ પર ટૂંક જ સમયમાં એક નવું ફીચર લોન્ચ થવાનું છે. જેમાં કોઈપણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં યુઝર્સને એક વોર્નિંગ આપવામાં આવશે. વોટ્સએપએ જણાવ્યું કે, વોટ્સએપ એક કેમ્પેન લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેનું નામ છે Check it before you share it. (શેર કરતા પહેલાં ચેક કરી લો). આ વોટ્સએપ યુઝર્સ માટે એક પ્રકારનું રિમાઈન્ડર હશે. જેથી યુઝર મેસેજ ફોરવર્ડ કરતાં પહેલાં એકવાર મેસેજમાં આપેલી જાણકારી ચેક કરી લે. ફેક ન્યૂઝ પર લગામ લગાવવા માટે કંપની આ કેમ્પેન લોન્ચ કરવાની છે.
વોટ્સએપ એક કેમ્પેન લોન્ચ કરવા જઈ રહ્યું છે
મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં વોટ્સએપ આપશે વોર્નિંગ
આ વોટ્સએપ યુઝર્સ માટે એક પ્રકારનું રિમાઈન્ડર હશે
અત્યારે વોટ્સએપ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કોરોના વાયરસ સંબંધી ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યાં છે. વોટ્સએપએ કહ્યું કે, આ કેમ્પેનનો ઉદ્દેશ યુઝર્સમાં કોઈપણ મેસેજ ફોરવર્ડ કર્યા પહેલાં તેની જાણકારી લેવાની આદત પાડવાનો છે. કંપનીનું કહેવું છે કે, યુઝર્સને કોઈ મેસેજ મળે અથવા કોઈ મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં MyGov હેલ્પલાઈન દ્વારા અથવા તો ઓનલાઈન આ જાણકારીની પુષ્ટિ કરવી જોઈએ.
તમને જણાવી દઈએ કે, લોકોમાં કોરોના પ્રત્યે જાગરૂકતા ફેલાવવા અને તેનાથી જોડાયેલા ખોટા મેસેજિસ ફોરવર્ડ થતાં રોકવા માટે વોટ્સએપએ હાલમાં જ એક ચેટબોટ લોન્ચ કર્યું હતું. જેનું નામ હતું MyGov Corona Helpdesk. જેને ભારત સરકાર સાથે મળીને લોન્ચ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બધાં વોટ્સએપ યુઝર્સે તેમના ફોનમાં 9013151515 સેવ કરવાનો રહેશે.
આ નંબર સેવ કરવા પર તમને કોરોના સંબંધી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે. જેમ કે, 'What Are the symptoms of coronavirus'. (કોરોનાના લક્ષણો શું છે) તમને તમારા સવાલનો ઓટોમેટેડ રિસ્પોન્સ મળી જશે. તમને જણાવી દઈએ કે, આ સિવાય સરકારએ કોરોના નેશનલ હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો હતો. આ ટોલ ફ્રી નંબર 011-23978046 અને 1075 છે.