વોટ્સએપ એક એવી ચેટીંગ એપ છે, જેને કોઈ પરિચયની જરૂર નથી. સામે આવેલા રિપોર્ટસ મુજબ વોટ્સએપ એક નવુ ફીચર જાહેર કરી રહ્યું છે, જેનાથી ગાયબ થયા બાદ પણ મેસેજ સેવ થઇ શકશે. આવો જાણીએ આ કેવીરીતે થઇ શકશે.
વોટ્સએપના નવા ફીચરે મચાવ્યો હડકંપ
મેસેજને ડિસઅપીયર થયા બાદ પણ યુઝર્સ મેસેજને સેવ કરી શકશે
જાણો કયા યુઝર્સ કયારથી ઉપયોગ કરી શકશે
આગામી અપડેટમાં જાહેર થશે નવુ ફીચર
વોટ્સએપ એક ખૂબ લોકપ્રિય પ્લેટફોર્મ છે, જેમાં તમને ઘણા બધા રસપ્રદ ફીચર્સ આપવામાં આવે છે. આજે અમે તમને એક એવા ફીચર અંગે જણાવવા જઇ રહ્યાં છે, જે આગામી અપડેટમાં જાહેર કરી શકાય છે. આ ફીચરને વોટ્સએપના એકબીજા ફીચર, ડિસઅપીયરિંગ મેસેજ ફીચરનુ એક્સટેન્શન કહી શકાય છે. જેની મદદથી ગુમ થતા મેસેજ પણ સેવ થઇ શકશે. આવો જાણીએ આ ફીચર શું છે, કેવીરીતે કામ કરશે અને તેને કયા યુઝર્સ ક્યારથી ઉપયોગ કરી શકશે.
વોટ્સએપ જાહેર કરી રહ્યું છે નવુ ફીચર
મહત્વનું છે કે WABetaInfo ની લેટેસ્ટ રિપોર્ટનું આ કહેવુ છે કે વોટ્સએપ આગામી સમયમાં એક નવુ ફીચર જાહેર કરવાનુ છે, જેનાથી મેસેજને ડિસઅપીયર થયા બાદ પણ યુઝર્સ આ મેસેજને સેવ કરી શકશે. જો કે, જે મેસેજ ગુમ થાય છે, તેને ના તો રિકવર કરી શકાય છે અને ના સેવ કરી શકાય છે.
ગાયબ થયા બાદ પણ સેવ થઇ શકશે મેસેજ
વોટ્સએપ જે નવા ફીચર પર કામ કરી રહ્યું છે, તેનુ નામ ‘કેપ્ટ મેસેજ’ જણાવવામાં આવી રહ્યું છે. જેવુ તેનુ નામ છે, તેમાં ડિસઅપીયરિંગ મેસેજ રાખી શકાશે. કારણકે યુઝર્સ તેને બાદમાં વાંચી શકે. આ સાથે આ ફીચરને લિમિટ કરવાના પાવર ગ્રુપ એડમિનની પાસે હશે. આ ફીચરની મદદથી તમે ગુમ થનારા મેસેજને પણ આરામથી વાંચી શકશો.