સ્માર્ટફોન યૂઝર્સની સૌથી મનગમતી એપ Whatsapp કેટલાક યૂઝર્સ માટે ખરાબ સમાચાર લાવ્યું છે. ચેક કરી લો તમે પણ નથી કરી રહ્યાને એ સ્માર્ટફોનનો ઉપયોગ જેમાં Whatsapp બંધ થવાનું છે.
કંપનીએ પોતાના FAQ પેજ પર જાણકારી આપી છે કે એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અને એનાથી પહેલાની ઑપરેટિંગ સિસ્ટમ, iOS 7 અને એનાથી જૂની ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહેલા iPhone પર પણ 1 ફેબ્રુઆરી 2020 બાદ Whatsapp કામ કરશે નહીં.
બ્લોગમાં લખ્યું છે કે જે યૂઝર્સ આ ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે, તેઓ આ તારીખ બાદ અકાઉન્ટ બનાવી શકશે નહીં અને વેરિફિકેશન જેવી એક્ટિવિટી પણ કરી શકશે નહીં. Whatsapp એ કહ્યું છે કે આ જાહેરાત માત્ર એ લોકો પર અસર નાંખશે, જેની પાસે 6 વર્ષથી જૂનો સ્માર્ટફોન છે.
બ્લૉગમાં એવું પણ લખ્યું છે કે 31 ડિસેમ્બર 2019 બાદ વિંડોઝ ફોનમાં Whatsapp બંધ કરી દેવામાં આવશે. સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે બની શકે છે 1 જુલાઇ 2019થી Windows Store થી Whatsapp હટાવી દેવામાં આવશે. સ્ટેટકાઉન્ટરના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં માત્ર 0.24 ટકા લોકો જ વિન્ડો ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે.
કંપનીએ જાણકારી આપતા કહ્યું છે કે હાલના સમયમાં Whatsapp એન્ડ્રોઇડના 4.0.3 વર્ઝન બાદથી તમામ ઑપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. iPhone માં આ iOS 8 બાદના તમામ વર્ઝન માટે ઉપલબ્ધ છે અને KaiOS 2.5.1 બાદના OS પર જેમાં JioPhone અને JioPhone 2 સામેલ છે, એની પર ચાલે છે. એક્ટિવ પ્લેટફૉર્મ ના હોવાને કારણે Windows માં Whatsapp ગમે ત્યારે કામ કરવાનું બંધ કરી શકે છે.