જાસુસી પર સરકારના નિશાના પર આવ્યા બાદ WhatsAppએ નિવેદન બહાર પડ્યું છે. WhatsAppના પ્રવક્તાએ કહ્યું કે યુઝર્સની ગોપનીયતા અને સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા છે. મેં મહિનામાં જ અમે સુરક્ષાથી જોડાયેલા મામલા ઝડપથી ઉકેલી લીધો હતો જાણકારી અમે ભારતીય અધિકારીઓને પણ આપી હતી
જાસુસી પર ઘેરાયેલી WhatsAppએ નિવેદન આપ્યું
WhatsAppએ 'ગોપનીયતા અમારી પહેલી પ્રાથમિકતા'
Pegasus નામના સ્પાયવેરથી બે ડઝનથી વધારે પત્રકારની જાસુસી કરવામાં આવી
WhatsAppના પ્રવક્તાએ આપ્યું નિવેદન
WhatsAppના પ્રવક્તાએ નિવેદન આપતા કહ્યું કે ગોપનીયતા અને સુરક્ષાને લઈને અમે ભારત સરકારની ચિંતાથી સહમત છીએ.કંપનીએ સમગ્ર મામલાની ગંભીરતાને સમજતા મોટા પગલાં ભર્યા છે. યુઝર્સના ડેટા સાથે કોઈ જ પ્રકારની છેડછાડ ન થાય તેની ખાસ કાળજી રાખીએ છે. WhatsApp તેના યુઝર્સની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
Sources: WhatsApp had given information to CERT-IN, a government agency as seen in the attached image in May. As is seen in the image, it is a communication in pure technical jargon without any mention of Pegasus or the extent of breach. pic.twitter.com/RPIgIntu1X
સુત્રો અનુસાર ટેલીકોમ મંત્રાલયે WhatsApp પર બનાયું દબાણ
આપને જણાવી દઈએ કે જાસુસી મામલામાં WhatsApp પર કાવતરાનો આરોપ છે. સુત્રો અનુસાર ટેલીકોમ મંત્રાલય લગાતાર WhatsAppથી સંદેશાઓના સોર્સ સુરક્ષા એજન્સીઓને ડીસ્કલોઝ કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ દર વખતે ગોપનીયતાના કારણે WhatsAppએ સરકારની વાત ના માની. આ સિવાય યુએસ, યુકે અને ઓસ્ટ્રેલીયા પણ ભારતની માંગ બાદ WhatsApp પર દબાણ કરી રહ્યા છે.
WhatsApp Spokesperson: We agree with the government of India, it is critical that together we do all we can to protect users from hackers attempting to weaken security. WhatsApp remains committed to the protection of all user messages through the product we provide. https://t.co/pmLsOlBztH
WhatsAppના માધ્યમથી ભારતના અમુક પત્રકાર અને જાણીતા લોકોની જાસુસીની ખબરથી ભારતીય રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. WhatsApp દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે ઇજરાયલની સાયબરની ગુપ્ત કંપની એનએસઓ ગ્રુપ દ્વારા ભારતીય માનવાધિકાર કાર્યકર્તા અને પત્રકારો પર સ્પાયવેર દ્વારા જાસુસી કરવામાં આવી. ગુરુવારે જયારે આ સમગ્ર મામલો બહાર આવ્યો ત્યારે વિપક્ષે મોદી સરકારને નિશાને લીધી હતી. જોકે ગૃહ મંત્રાલય દ્વારા સફાઈ આપવામાં આવી છે કે આ માત્ર સરકારને બદનામ કરવાનું કાવતરું છે.
Pegasus દ્વારા થઇ લોકોની જાસુસી
ઇઝરાયલની કંપની દ્વારા Pegasus નામના સ્પાયવેરથી ભારતીય લોકોની જાસુસી કરવામાં આવી જેમાં બે ડઝનથી વધારે પત્રકાર અને વકીલોના નામ સામેલ છે. જો દુનિયાભરના લોકોની વાત કરીએ તો આ આંકડો 1400 સુધી જાય છે. હવે Pegasusથી જે દસ્તાવેજ બહાર આવી રહ્યા છે તે અનુસાર આ જાસુસી માત્ર WhatsApp સુધી સીમિત નથી.
સ્કાઇપ, ટેલીગ્રામ, વાઈબર, sms અને e mail પર પણ થઈ જાસુસી
Pegasus સ્પાયવેર દ્વારા WhatsApp સિવાય અન્ય સોશિયલ મીડિયા માધ્યમોથી પણ જાસુસી કરવામાં આવી છે. સ્કાઇપ, ટેલીગ્રામ, વાઈબર, sms, e mail, લોકેશન, હિસ્ટ્રી બ્રાઉઝીંગ અને માઈક કેમેરાથી પણ જાસુસી કરવાનો શક છે. આ સ્પાયવેરથી ટાર્ગેટ કરાયેલા લોકોના કેમેરા અને માઈકના ડેટા પર એકઠા કરી શકાય છે. સ્પાયવેરને જો માત્ર ઇન્સ્ટોલ કરવામાં આવે તો એ આ બધી જ માહિતી મેળવી શકે છે.