વિશ્વમાં લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપે 18 લાખથી વધુ ભારતીય એકાઉન્ટને માર્ચ દરમ્યાન પ્રતિબંધ લગાવ્યો છે. કંપનીએ આ પ્રતિબંધ નવા IT નિયમ 2021 હેઠળ લગાવ્યો છે અને કહ્યું કે દેશમાંથી માર્ચ મહિના દરમ્યાન 597 ફરિયાદનો રિપોર્ટ મળ્યો હતો. ત્યારબાદ ખાતા પર કાર્યવાહી કરવામાં આવી છે.
વોટ્સએપે 18 લાખથી વધુ એકાઉન્ટ પર રોક લગાવી
કંપનીએ આ પ્રતિબંધ નવા IT નિયમ 2021 હેઠળ લગાવ્યો
મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હતા તેની પર લગાવ્યો પ્રતિબંધ
રિપોર્ટ જાહેર
એક નિવેદનમાં મેસેજિંગ એપના પ્રવક્તાએ કહ્યું કે આઈટી નિયમ 2021 મુજબ, માર્ચ 2022ના મહિના માટે તેનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદ અને સંબંધિત કાર્યવાહીનુ વિવરણ આપવામાં આવ્યુ છે. જે અંતર્ગત જે આ મેસેજિંગ પ્લેટફોર્મનો દુરૂપયોગ કરી રહ્યાં હતા તેવા વોટ્સએપ ખાતા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
કયા કારણે ખાતા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે વોટ્સએપે માર્ચ મહિનામાં 1.8 મિલિયન (18,05,000)થી વધુ ખાતા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધિત ખાતા શેર કરવામાં આવેલા ડેટા મુજબ 1 થી 31 માર્ચની વચ્ચેના છે. જે અંતર્ગત ખાતાનો દુરૂપયોગની જાણકારી મેળવવા અને નકારાત્મક રિએક્શનને આગળ વધારવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. તો કંપની તરફથી એવુ પણ જણાવવામાં આવ્યું છે કે જે લોકોને અજાણતા આ ચીજ વસ્તુઓ થઇ છે, તેઓને તેને ઓપન કરાવવા માટે નવા આઈટી નિયમ 2021 હેઠળ 5 મિલિયનથી વધુ યુઝર્સવાળા ડિજીટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને માસિક અનુપાલન રિપોર્ટ આપવો પડશે. કંપનીએ કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્લેટફોર્મ પર યુઝર્સને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને નવી ટેકનિક અને અન્ય સુરક્ષાવાળી ચીજ વસ્તુઓને જોડી છે.
આ ભૂલ ના કરશો
વોટ્સએપ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ યુઝર્સે આ ફેક ન્યુઝ ના ફેલાવવા જોઈએ. કોઈની મંજૂરી વગર કોઈને મેસેજ મોકલીને પરેશાન કરવા, અશ્લિલ વાતો કરવી અને ભ્રામક ચીજ વસ્તુઓને સપોર્ટ કરવાના કારણે ખાતા બંધ કરી શકાય છે.