સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે. એવામાં દેશના ખૂણે-ખૂણામાં મોદી લહેર પોતાનો રંગ બતાવી રહી છે. તાજેતરમાં જ બોલિવુડના હીરો અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ લીધો તો ખાસ વાતચીતમાં મોદીજી પોતાના પર્સનલ લાઇફ સાથે જોડાયેલા ઘણા રહસ્યો જણાવ્યા. આ ઈન્ટરવ્યૂમાં મોદી પોતાની ફીટનેસ સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી.
- PM મોદી માત્ર 3 કલાકમાં જ પોતાની ઉંઘ પૂરી કરી લે છે. તેમણે ઇન્ટરવ્યૂમાં આંખ ખૂલતા જ મારા પગ જમીન પર આવી જાય છે. આ મારા જીવનનો ભાગ બની ગયો છે. મારી બોડી સાઇકલ જ એવી છે. મને 3 કલાકથી વધારે ઉંઘ આવતી નથી.
- નરેન્દ્ર મોદી આયુર્વેદમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. તેમણે થાક વિશે જણાવ્યુ કે, હું ટૂવાલ પગ પર બાંધતો અને વચ્ચે નાની લાકડી પર પગ રાખતો, જેથી પ્રેશર આવતુ. આ રીતે સમગ્ર બોડીને જાતે મસાજ કરતો હતો.
- મોદી પોતાને ફીટ રાખવા માટે હિમાચલના મશરૂમનું સેવન કરે છે. તમને જણાવી દઇએ કે, આ મશરૂમોની કિંમત બજારમાં 20-25 હજાર રૂપિયા કિલો છે. આ મશરૂમમાં વિટામિન બી, સી અને ડી હોય છે.
- પીએમ મોદી દિવસભર નોર્મલ પાણીના બદલે હૂંફાળું પાણી પીવે છે. યાત્રા સમયે પણ તે હૂંફાળું પાણી પીવાનું પસંદ કરે છે. તેનાથી શરીરને એનર્જી મળે છે.
- મોદી દિવસમાં બે વખત ચા પીવાનું પસંદ છે અને તે પણ ખાંડ વિનાની. તેઓ સવારે અને સાંજે 6 વાગ્યે શાંતિમાં ચા પીવાનું પસંદ કરે છે.
- પ્રધાનમંત્રીએ ખુલાસો કર્યો હતો કે તેઓને જો ઠંડી લાગી જાય તો તેઓ ગરમ પાણી પીવે છે અને તેની સારવાર કરવા માટે તે 2 દિવસ ઉપવાસ કરે છે.
- સરસવના તેલના લાભ વિશે વાત કરતા મોદીએ કહ્યું હતું કે ગરમ પાણી ઉપરાંત તે પોતાની શરદીને દૂર કરવા માટે સરસવના તેલનો ઉપયોગ કરે છે. આ તેલને ગરમ કરીને થોડાક ટીપા નાકમાં નાખે છે. આવી રીતે તેઓ 2 દિવસમાં સજા થઇ જાય છે.