મેદસ્વિતાને રોકવા માટે આપણે ઘણા ઉપાય કરીએ છીએ. કોઈ જીમમાં કલાકો સુધી કસરત કરીને પરસેવો પાડે છે તો કોઈ ગરમ પાણીના સેવનની સાથે-સાથે ખાવાનુ છોડીને લીલી શાકભાજી અને ફળને પોતાના ડાયટમાં સામેલ કરે છે. કારણકે તેનું વજન ઓછુ થઇ જાય. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તમે ગમે તેટલુ જતન કરી લો આ બધુ લાભદાયક સાબિત નહીં થઇ શકે.
ગમે તેવુ કરો, મેદસ્વિતાને નહીં રોકી શકો?
ચિંતા ના કરો, યોગ્ય ડાયટ રાખવાથી મેદસ્વિતાને અંકુશમાં રાખી શકશો
પૌષ્ટિક આહારથી પણ ઘટાડી શકાશે મેદસ્વિતા
યોગ્ય ડાયટ કરવાથી મેદસ્વિતા રહેશે અંકુશમાં
ખરેખર, એક સંશોધનમાં સામે આવ્યું છે કે મેદસ્વિતા તમારા જીનમાં હોય છે. લંડનમાં થયેલા એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે 74 જેનેટિક મ્યુટેશન તમને મેદસ્વિતાથી ગ્રસિત કરી શકે છે. એટલેકે મેદસ્વિતા ફક્ત વ્યાયામની અછત અને વધુ ખાવાથી થતુ નથી. આ આપણા જીનમાં પણ હોય છે. જો કે, સંશોધનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યોગ્ય ડાયટ કરવાથી મેદસ્વિતાને અંકુશમાં રાખી શકાય છે.
સંશોધનનો દાવો
કિંગ્સ કૉલેજ લંડનના વૈજ્ઞાનિકોએ લોહીમાં મુખ્ય અણુઓ કે સ્તરની દેખરેખ કરી. જેમાં વિટામિન અને એમીનો એસિડ પણ હોય છે. જે ભોજનના પાચન પર નિકળે છે. જો કે, સંશોધનકારોએ આ સંશોધનના માધ્યમથી જેનેટિક મેદસ્વિતાને ઘટાડવાના સંકેત આપ્યાં છે. સંશોધનમાં કિંગ્સ કૉલેજ લંડનના વૈજ્ઞાનિકોએ ડીએનએના બીજા ડઝન ભાગની શોધ કરી છે. જે શરીરના મેટાબોલિઝ્મને પ્રભાવિત કરે છે. આ વજન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. આ દરમ્યાન 74 નવા જેનેટિક ક્ષેત્રોને પહેલા વજનથી જોડવામાં આવ્યું નથી. તો એવામાં આંશિક રીતે સમજાવી શકાય છે કે કેમ કેટલાંક લોકોને મેદસ્વિતા હોવાની સંભાવના છે.
પૌષ્ટિક આહારથી ઘટી શકે મેદસ્વિતા
નિષ્ણાંતોનું કહેવુ છે કે મેદસ્વિતાને પૌષ્ટિક આહારથી ઘટાડી શકાય છે. આંકડા જણાવે છે કે લગભગ 35 મિલિયન યુકેના પુખ્ત પુરૂષોનું વજન વધારે છે. તો અમેરિકામાં 70 મિલિયન પુખ્ત વયના લોકોને મેદસ્વિતાથી ગ્રસિત માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, મેદસ્વિતા કેન્સર, ટાઈપ 2 ડાયાબિટીસ અને હૃદયરોગ સહિત ઘણી સ્થિતિઓના જોખમને વધારે છે.