યુક્રેન-રશિયા વોર, ઈન્ડીયન વેક્સિન સહિતના અનેક મુદ્દે કરી વાત
કહ્યું મેડ ઈન ઈન્ડીયા વેક્સિન ન હોત તો દુનિયા સંકટમાં હોત
ડેનમાર્કમાં વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સન સાથે મહત્વપૂર્ણ બેઠક બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં રહેતા ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. કોપનહેગનના બેલા સેન્ટર ખાતે હજારો ભારતીયોની જનમેદનીને સંબોધિત કરતા પીએમ મોદીએ કોરોના કાળનો ઉલ્લેખ કર્યો હતો.
Imagine, if we wouldn't have been able to take vaccination to every family in India, what would've been its impact on the world. Had India not worked on made in India & effective vaccines, not had a large scale production, what would've been the situation in several countries: PM pic.twitter.com/MgCTneuRrh
ભારતીય વેક્સિન ન હોત તો દુનિયા મોટા સંકટમાં હોત
પીએમ મોદીએ કહ્યું કે કોરોનાને કારણે આખી દુનિયા પર અસર પડી છે, પરંતુ આવી સ્થિતિમાં પણ ભારતે નિર્ણાયક ભૂમિકા નિભાવી છે. "જો મેડ ઇન ઇન્ડિયા રસી ભારત દ્વારા બનાવવામાં આવી ન હોત, તો આ કટોકટીમાં વિશ્વનું શું થાત? તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં ભારતે સમગ્ર વિશ્વને વેક્સિન અને દવાઓ આપી છે.
When India pulls its citizens out of poverty, the poverty across the world goes down. When poor in India are given several facilities like housing, sanitation, clean drinking water, free health care & financial inclusion, it gives a new trust to several countries of the world: PM pic.twitter.com/PRTEO0ptSK
ભારતે દુનિયાને આપ્યો નવો વિશ્વાસ
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ભારત તેના નાગરિકોને ગરીબાઈમાંથી બહાર કાઢે છે, ત્યારે દુનિયામાંથી ગરીબી મટે છે. જ્યારે ભારતના ગરીબોને રહેવા માટે ઘર, આરોગ્ય સુવિધા, સ્વચ્છ પેયજળ, ફ્રી હેલ્થ કેર અને નાણાકીય સહાય આપવામાં આવે છે ત્યારે તેનાથી દુનિયાને ઘણા દેશોને નવો વિશ્વાસ આપે છે.
ડેનમાર્ક અને ભારતના સંબંધો ખૂબ જ મજબૂત
ભારતીય સમુદાય સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ડેનમાર્ક અને ભારતના સંબંધો ખૂબ જ મજબૂત છે. ડેનમાર્કના પીએમ સાથેની મુલાકાતના કારણે બંને દેશો વચ્ચે પહેલાથી જ મજબૂત સંબંધો વધુ ખાસ બનવા જઈ રહ્યા છે. તેમણે ડેન્માર્કમાં વસતા ભારતીયો પણ વિવિધ સમુદાયોમાંથી આવે છે એ બદલ ખુશી વ્યક્ત કરી હતી. દરેકની અલગ અલગ ભાષા હોય છે. કેટલાક તમિલ છે, કેટલાક ગુજરાતી છે, કેટલાક બંગાળના છે. તેમના મતે વિદેશમાં હાજર દરેક વ્યક્તિ આવા ભારતીયોના વખાણ કરે છે.
You should inspire at least five of your friends to visit India...and people will say 'Chalo India'. This is the work you all 'Rashtradoot' have to do: PM Modi interacts Indian community in Copenhagen pic.twitter.com/bECg28EkkQ
ડિજિટલ ઇન્ડિયાનો કર્યો ઉલ્લેખ
વડા પ્રધાને ભારતીય સમુદાય સાથે વાત કરતા ડિજિટલ ઇન્ડિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે અગાઉ કોઈને અપેક્ષા નહોતી કે ભારત ડિજિટલની દિશામાં આગળ વધી શકશે. પરંતુ તેમની સરકારે તે માનસિકતા બદલી નાખી. સ્ટાર્ટ અપ અંગે મોદીએ કહ્યું કે, પહેલા દુનિયામાં આ મામલે ભારતની કોઇ ગણતરી નહોતી. પરંતુ હવે યુનિકોર્નના મામલે ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજા નંબરે છે.
ભારત વનસ્પતિમાં દૈવી તત્ત્વને જુએ છે, નદીને માતા માને છે
હાલની સરકારની કાર્યશૈલી વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે હવે દેશમાં સ્પીડ, સ્કોપની સાથે સાથે શેર અને કેર પર પણ વિશ્વાસ રાખવામાં આવ્યો છે. આવશ્યક સેવાઓ પણ અન્ય લોકો સાથે શેર કરવામાં આવી રહી છે. સંબોધન દરમિયાન પીએમે સ્પષ્ટ કર્યું કે, આ દુનિયાને ખતમ કરવામાં ભારતની કોઈ ભૂમિકા નથી. ભારત વનસ્પતિમાં દૈવી તત્ત્વને જુએ છે, નદીને માતા માને છે. પીએમ મોદીએ પર્યાવરણની સુરક્ષા માટે ભારત દ્વારા લેવામાં આવી રહેલા પગલાંનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, યુઝ એન્ડ થ્રોની થિયરીના કારણે આ માહોલ બરબાદ થયો છે. પોકેટ કેટલું છે, તમે કેટલો ઉપયોગ કરશો તે નક્કી ન કરવું જોઈએ, પરંતુ તમારે કેટલી જરૂર છે, તેનો ઉપયોગ નક્કી થવો જોઈએ.
યુક્રેન-રશિયાને યુદ્ધ અટકાવવાની કરી અપીલ
પ્રધાનમંત્રી મોદીએ કોપનહેગનમાં યુક્રેન અને રશિયાને તાત્કાલિક યુદ્ધ અટકાવી દેવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે યુદ્ધથી કોઈનું ભલું નહીં થાય.