નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના રોજબરોજ વધી રહ્યા છે. જેને લઈને સામાન્ય નાગરિકો તો ઠીક પરંતું પેટ્રોલ પંપ માલિકો પણ ચિંતામાં મુકાયા છે. દેશના તમામ પેટ્રોલપંપ પર આવેલા મશીનોમાં સંકટ ઉભું થઈ શકે છે. જો ભાવ 100ને પાર જાય તો રૂપિયા અને પૈસા સાથે ચાર આંકડાથી વધુ કિંમત મશીનમાં બતાવતા નથી. તો હવે ચિંતા એ છે કે ભાવ 100ને પાર થશે તો તમામ પંપ પરના મશિન બેકાર બની જશે?
પેટ્રોલ-ડીઝલના ભાવ પર દેશના સામાન્ય વ્યક્તિની ચિંતા વ્યાજબી છે. જો પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી જાય તો આ મશીન કામ લાગશે ખરા. શું આ મશીનથી પેટ્રોલ કે ડીઝલનું વેચાણ થવું શક્ય છે. આ પેટ્રોલ પંપ પર મશીન માત્ર ચાર જ આંકડા બતાવે છે. બે આંકડા રૂપિયા માટે અને બે પૈસા માટે હોય છે.
હવે જો પેટ્રોલ કે ડીઝલની કિંમત 100 રૂપિયા સુધી પહોંચી જાય ત્યારે આ મિશનમાં ભાવ અને પેટ્રોલ કે ડીઝલની માપણી કેવી રીતે થશે તે એક મોટો સવાલ છે. ઑલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના ચેરમેન એમ. પ્યારેકર રેડ્ડીએ આ મામલે કહ્યું કે જ્યારે મશીનને ડિજિટલ બનાવાયું ત્યારે કોઈએ પણ વિચાર કર્યો ન હતો કે પેટ્રોલના ભાવ 100ને પાર થશે.
હવે તે સમયની ટેકનોલોજિના કારણે આજના લોકોને સહન કરવાનું રહેશે. જેને લઈને તમામ સિસ્ટમને અપડેટ કરવી પડશે અને તે સમગ્ર ભારતમાં લાગૂ કરવા માટે થઈને આ પ્રક્રિયામાં વાર લાગશે. જેને લઈને જો 100ને પાર ભાવ જશે તો લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે.
પેટ્રોલ અને ડીઝલ છેલ્લા કેટલાય સમયથી લોકોના ખીસ્સા ખાલી કરી રહ્યા છે. કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ 90ને પાર પહોંચ્યો છે. તો આવનારા દિવસમાં 100ને પાર થવાની શક્યતા છે. સરકાર આ મામલે ભાવને કાબૂ કરી શકતી નથી અને પેટ્રોલિયમ પ્રધાને ભાવ મામલે હાથ અધ્ધર કર્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે કિંમત 100 રૂપિયાને આંબી જશે તો શું સરકાર પેટ્રોલ પંપની સમસ્યાને પહોંચી વળશે ?