આખી રાત મોબાઈલ ચાર્જ પર લગાવીને સુઈ જવાની આદત હોય તો આ ખાસ વાંચી લેજો
તમે પણ મોબાઈલને રાત્રે ચાર્જિંગમાં મુકીને સુઈ જાઓ છો?
તમારી આ આદત કેટલી યોગ્ય?
જાણો શું કહે છે એક્સપર્ટ્સ
મોબાઈલ ફોનનો ઉપયોગ લોકો માટે જેટલો ફાયદાકારક છે. તેટલો જ નુકસાનકારક પણ છે. આજના સમયમાં મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે. જે તમારા કામોને સરળ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે તમને નુકસાન કેટલું પહોંચાડે છે. મોડી રાત સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ આંખો અને માથા પર નકારાત્મક પ્રભાવ પાડે છે. ઘણા લોકોની એવી પણ આદત હોય છે કે તે આખી રાત મોબાઈલ ચાર્જિંગ પર લગાવીને સુઈ જાય છે. જેથી સવારે તેમને મોબાઈલ ફૂલ ચાર્જ મળે. પરંતુ શું તમને ખબર છે તેના નુકસાન કેટલા છે.
જાણો શું કહે છે એક્સપર્ટ્સ
એક્સપર્સ કહે છે કે પહેલાના મોબાઈલ ફોનમાં ચાર્જિંગને લઈને ભલે કેટલીક સમસ્યાઓ હતી પરંતુ હવે જમાનો સ્માર્ટફોનનો છે. જે પ્રકારે તમે ભરપેટ ભોજન કર્યા બાદ નથી ખાત, તેવી જ રીતે સ્માર્ટફોનની બેટરી પણ 100 પરસેન્ટ ચાર્જ થયા બાદ આગળ ચાર્જ કરવાનું બંધ કરી દે છે.
ઓક્સપર્ટે જણાવ્યા અનુસાર આજકાલના સ્માર્ટફોનમાં એવી ચાર્જિંગ સર્કિંટ લાગેલી હોય છે. જેનાથી 100 ટકા બેટરી ચાર્જ થયા બાદ સપ્લાઈ આપોઆપ બંધ થઈ જાય છે. પછી બેટરીનું ચાર્જિંગ જેવું 90 ટકા પર જાય છે. ચાર્જિંગ ફરીથી શરૂ થઈ જાય છે.
ચાર્જિંગ વખતે જો મોબાઈલ ફોન ગરમ થઈ જાય તો ઘણા લોકો ગભરાઈને તેને બંધ કરી દે છે. તેમને લાગે છે કે બેટરીમાં ઘણી સમસ્યાઓ થાય છે. એક્સપર્ટ કહે છે કે આવું થઈ પણ શરે છે અને ન પણ. ઘણી વખત ફોનમાં વાયરસના કારણે પણ મોબાઈલ બેક સાઈડથી ગરમ થઈ જાય છે. જોકે તે કહે છે કે સારૂ રહેશે કે આખી રાત મોબાઈલને ચાર્જમાં લગાવીને ન મુકી દો.