જ્યારે પણ વિદેશ જાઓ ત્યારે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ તમારો પાસપોર્ટ છે. જાણો જો વિદેશ જઈને પાસપોર્ટ ખોવાઈ જાય તો તમે ભારત કેવી રીતે પરત ફરશો?
વિદેશમાં પાસપોર્ટ ખોવાઈ જાય તો શું કરશો?
જાણો શું છે નિયમો
નવા પાસપોર્ટ માટે શું કરશો?
વિદેશ જવા માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ પાસપોર્ટ હોય છે. ન ફક્ત જવા માટે પરંતુ ત્યાં રહેવા માટે પણ તમારી ઓળખ પાસપોર્ટથી કરવામાં આવે છે. માની લો ક્યારેક તમે વિદેશ જાઓ અને બીજા દેશમાં તામારો પાસપોર્ટ ખોવાઈ જાય તો શું થશે? વિદેશમાં તો પાર્સપોર્ટ સૌથી જરૂરી ડોક્યુમેન્ટ હોય છે અને તમે તેના વગર ભારત પરત ન ફરી શકો. એવામાં જાણીએ આવી સ્થિતિમાં શું કરવાનું રહેશે અને તમે કઈ રીતે પરત ફરી શકો છો.
પાસપોર્ટ ખોવાઈ જાય તો શું કરશો?
આવી સ્થિતિમાં તમારે ગભરાવવાની જરૂર નથી. સૌથી પહેલા તમારે તે દેશના પોલીસ સ્ટેશનમાં જવાનું રહેશે અને પાસપોર્ટ ખોવાઈ જવાની ફરિયાદ દાખલ કરવાની રહેશે. એક વખત ફરિયાદ નોંધાવ્યા બાદ તે દેશમાં ભારતનું દૂતાવાસ એટલે કે ઈન્ડિયન એમ્બેસી શોધવાની રહેશે.
એમ્બેસી આ રીતે કરશો મદદ
એવામાં જો તમારો પાસપોર્ટ ખોવાઈ જાય તો તમારે ફરિયાદ કર્યા બાદ એમ્બેસીમાં સંપર્ક કરવાનો રહેશે. એમ્બેસીમાં સંપર્ક કર્યા બાદ તમારે ફરિયાદ નોંધાવવાની રહેશે અને તમારી જાણકારી આપવાની રહેશે. ત્યાર બાદનું કામ એમ્બેસીમાં થાય છે.
તમે અહીં બીજા પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. જો તમારે વિદેશથી પરત ફર્યા બાદ વધારે ટાઈમ બચી રહ્યો છે તો એમ્બેસી તમારો રિપ્લેસમેન્ટ પાસપોર્ટ તૈયાર કરાવી દેશે. જે ભારતથી બનીને જ તે દેશમાં આવે છે. જોકે આ પ્રોસેસમાં થોડા દિવસ લાગી શકે છે.
આવી સ્થિતિમાં શું કરવું જોઈએ?
જો માની લો તમારો પાસપોર્ટ આજે ખોવાઈ ગયો છે અને તમારે લગભગ 1 મહિના બાદ વિદેશથી પરત ફરવાનું છે તો એમ્બેસીથી બીજો પાસપોર્ટ બનાવવાની વ્યવસ્થા થઈ જશે. ત્યાં જ જો તમારી પાસે ફક્ત એક અથવા બે દિવસનો સમય છે તો તમારે એમ્બેસીની તરફથી એક ઈમરજન્સી સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેના દ્વારા તમે તે દેશથી પરત ફરી શકો છો. જણાવી દઈએ કે તમારે ભારતમાં આવ્યા બાદ નવો પાસપોર્ટ બનાવવાનો હોય છે.