2020નું વર્ષ ભારત સહિત સમગ્ર દુનિયા માટે ખુબ જ ભયાનક રહ્યું છે. આ વર્ષે આપણે ઘણુ બધુ ગુમાવ્યું છે. દેશની અર્થ વ્યવસ્થાથી લઇને નોકરી -ધંધા દરેક વસ્તુ ચોપટ થઇ ગઇ છે. વર્ષ 2021 આવવાને માત્ર થોડો સમય જ રહ્યો છે ત્યારે નવું વર્ષ કેવું રહેશે તેને લઇને કેટલીક ભવિષ્યવાણીઓ થઇ છે.
ભારત માટે કેવું રહેશે 2021
રાજનીતિમાં આવશે બદલાવ?
કરિયર અને વ્યવસાયમાં શું થશે બદલાવ?
રાજનૈતિક પરિસ્થિતિ
2020ની રાજનીતિ પર નજર નાંખીએ તો તેમાં એકાધિકાર દેખાયો હતો. 2021માં પણ તે જ પરિસ્થિતિ રહેવાની આશંકા છે. ગ્રાહકો, કૃષિ, મુદ્રા અને સ્વાસ્થ્ય જેવા વિષયોને ધ્યાનમાં રાખીને ખાસ પગલા લઇ શકે છે.
કરિયર અને વ્યવસાય
વ્યવસાય અને કરિયર પક્ષને લઇને 2021 ખુબ જ અનુકુળ અને અવસરવાદી વર્ષ તરીકે જોવામાં આવશે. મિથુન, ધન અને વૃશ્ચિક રાશિના જાતકોને વર્ષ 2021ના પહેલા 3 મહિનામાં પોતાના સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવાની જરૂર છે. કારણકે ચંદ્રમા પુષ્ય નક્ષત્ર અને લગ્ન હસ્ત નક્ષત્રમાં જશે. જો કે નાણાકીય વર્ષ અને વૈવાહિક જીવન ખુબ જ ભાગ્યશાળી રહેશે.
વૈશ્વિક આર્થિક સંકટ
ભારતમાં આર્થિક મંદીના કેટલાક અન્ય કારણ પણ છે. જ્યોતિષો અનુસાર ભારતનું આ આર્થિક સંકટ વર્ષ 2022 પહેલા સોલ્વ નહીં થાય. વર્ષ 2020 અને 2021માં મકર રાશિ અને શનિ બૃહસ્પતિ દ્વારા આર્થિક મંદીની સમસ્યાઓને વધુ વધારવા માટે છે.
શું થશે મોંઘુ અને શું સસ્તું
રિયલ એસ્ટેટ બજારમાં મંદી આવશે અને સ્ટીલની કિંમત ઘટશે. એપ્રિલ 2022 બાદ એવી સ્થિતિઓમાં કેટલીક સ્થિતિમાં રાહત મળવાની સંભાવના છે.
નિયંત્રણમાં રહેશે કોરોના?
જ્યોતિષવિદો અનુસાર કોરોનાનો અસર ડિસેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધી ઘટવા લાગશે. આ સમયમાં જનજીવન સામાન્ય થવાના અણસાર છે. કોરોનાના દર્દીઓના રિકવરી રેટમાં પણ અસર દેખાશે અને તે વધશે. ઓગસ્ટ મહિનાથી કોરોનાનો અસર ઘટવા લાગશે અને જનજીવન સામાન્યરૂપથી ચાલવા લાગશે.
રાહુ કેતુનો પ્રભાવ
કાલ પુરુષ કુંડળીના બીજા ઘરમાં રાહુની હાજરી અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા માટે, નાણાકીય અપરાધોને હવા આપવાનું કામ કરશે. રોજગારને નુકસાન અને સાંપ્રદાયિક હિંસાને વધારવાનું કામ કરશે.