સુરેન્દ્રનગરમાં સ્ટોન ક્રશરનું કામકાજ સતત ચાલી રહ્યું છે અને આ કામકાજમાં સરકારની દિશાનિર્દેશની કોઈ અમલવારી થતી નથી. બેફામ ખનનથી સતત રજ ઉડે છે જેને લીધે પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે
ગેરકાયદે ખનન પર ક્યારે લાગશે બ્રેક?
શરદી, શ્વાસ, પેટના દુખાવાની સતત તકલીફ વધી રહી
ખનન માફિયાઓ સરકારી ગાઈડલાઈનનું પાલન કરતા નથી
ખનને કારણે ખેતી અને ખેડૂતને નુકસાન થાય છે. સુરેન્દ્રનગરમાં સ્ટોન ક્રશરનું કામકાજ સતત ચાલી રહ્યું છે અને આ કામકાજમાં સરકારની દિશાનિર્દેશની કોઈ અમલવારી થતી નથી. બેફામ ખનનથી સતત રજ ઉડે છે જેને લીધે પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. વાત ખેતીથી જ અટકતી નથી. સતત રજકણ ઉડી રહ્યા છે જેને લઈને આસપાસના લોકોનું સ્વાસ્થ્ય જોખમાયુ છે. શરદી, શ્વાસ, પેટના દુખાવાની સતત તકલીફ વધી રહી છે. પરિસ્થિતિ એ હદે વણસી છે કે વાત ગાંધીનગર સ્થિતિ GPCBએ પહોંચી. જો કે ખનન માફિયાઓ સરકારના મોટા માથાઓના આદેશ પણ જયારે ઘોળીને પી જતા હોય ત્યારે GPCBની શું વિસાત એ મોટો સવાલ છે ત્યારે સૌથી પહેલા એ ચર્ચા કરીએ કે ખનનથી ખેતીને જે નુકસાન થઈ રહ્યું છે તેની ફરિયાદ કોણ સાંભળશે.
સુરેન્દ્રનગરમાં ખનનથી શું મુશ્કેલી?
સુરેન્દ્રનગરમાં સ્ટોન ક્રશરથી વ્યાપક નુકસાની થઈ રહ્યું છે. ખેડૂતોને ખેતી અને આરોગ્યમાં નુકસાન તેમજ તૈયાર પાકમાં રજ ઉડવાથી પાક બગડે છે અને લોકોના સ્વાસ્થ્ય્ને પણ નુકસાન થાય છે. ઉડતી રજથી પથરી, શ્વાસની તકલીફ, શરદી, પેટની તકલીફના અનેક બનાવ બન્યા છે. ખનન માફિયાઓ સરકારી ગાઈડલાઈનનું પાલન કરતા નથી.
સળગતા સવાલ
ગેરકાયદે ખનન પર ક્યારે લાગશે બ્રેક?
ખનનથી ખેતીને થતા નુકસાન અંગે કોણ સાંભળશે?
સરકારના દિશાનિર્દેશની કોઈ અમલવારી થાય છે ખરી?
રજકણ ઉડતા લોકોના સ્વાસ્થ્ય જોખમમાં
GPCB સુધી ફરિયાદ પહોંચી, કાર્યવાહી થશે ખરી?
ખનનથી ખેતીને થતા નુકસાનનું વળતર મળશે?