ગણેશજીની પૂજા કરવાનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે. પરંતુ ગણેશજીની પૂજા વખતે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે નહીં તો પૂજા સફળ ગણાય નહીં
ભગવાન ગણેશજીની કરો પૂજા
પૂજા વખતે કેટલીક વસ્તુનો ઉપયોગ છે વર્જિત
પૂજા કરતી વખતે રાખો ખાસ ધ્યાન
પ્રથમ પૂજનીય દેવ એટલે ભગવાન ગણેશ. બુધવારનો દિવસ ગણેશજીની પૂજા માટે સમર્પિત છે. ગણેશ પૂજાનું વિશેષ મહત્વ છે. કોઇ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશ પૂજનથી થાય છે. ગણેશજીની પૂજા કરવાથી વ્યક્તિના દરેક સંકટ ટળી જાય છે. ગણેશજીના અનેક નામ, વિધ્નહર્તા, એકદંત વગેરે. ત્યારે જો ગણપતિ તમારાથી રિસાઇ જાય કે કોપાયમાન થાય તો તમારે અનેક સમસ્યાનો સામનો કરવાનો વારો આવી શકે છે. આથી ગણેશજીની પૂજા દરમિયાન કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. આવો જાણીએ.
ચોખાનો પૂજામાં ઉપયોગ
ધાર્મિક ગ્રંથો અનુસાર ચોખાને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ગણેશને તેમની પૂજામાં અક્ષત અર્પણ કરવામાં આવે છે. પરંતુ તેને અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે તેને તૂટલો ન હોવો જોઈએ. ગણપતિને અક્ષત અર્પણ કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થાય છે. ગણેશજીને અક્ષત અર્પણ કરતી વખતે ચોખાને થોડા ભીના કરવા જોઇએ.
પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો
ભોલેશંકરની જેમ ભગવાન ગણેશને તુલસી ચઢાવવાની પણ મનાઈ છે. દંતકથા અનુસાર, તુલસીને ગણેશજીએ શ્રાપ આપ્યો હતો, તેથી તેમની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવાનું ટાળવુ જોઇએ .
કેતકીના ફૂલ ન ચઢાવવા
ભગવાન ગણેશની પૂજામાં લાલ ફૂલ અને લાલ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખો કે ભૂલથી પણ ગણેશજીને સફેદ ફૂલ કે કેતકીના ફૂલ ન ચઢાવો. ગણેશને ઉર્જા અને ઉત્સાહનું પ્રતિક માનવામાં આવે છે. ભગવાન શિવની જેમ કેતકીના ફૂલ ભગવાન ગણેશને ન ચઢાવવા જોઈએ.
સૂકા ફૂલો ન ચઢાવવા
ગણેશ પૂજામાં સૂકા અને વાસી ફૂલોનો ઉપયોગ કરવો જ ન જોઇએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી પરિવારમાં ગરીબી આવે છે. તેથી પૂજા દરમિયાન ગણેશજીને તાજા ફૂલ ચઢાવો.
ભૂલથી પણ સફેદ રંગનો ઉપયોગ ન કરો
એક દંતકથા અનુસાર ચંદ્રને ગણેશજીએ શ્રાપ આપ્યો હતો. આથી ગણેશજીને સફેદ ફુલ ચઢાવવાની મનાઇ છે. વિધ્નહર્તાને સફેદ વસ્ત્રો, સફેદ દોરો કે સફેદ ચંદનનો ઉપયોગ કરવામાં આવતો નથી.