ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ત્યારે બુધવારે સવારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 74 હજારને પાર કરી ચૂકી છે. જ્યારે આ વાયરસથી 2400થી વધુ લોકોના મોત થયા છે. કોરોના વાયરસથી બચવા કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. ત્યારે આ દરમિયાન WHOએ આ વાયરસથી બચવા ખાનપાનથી જોડાયેલી ખાસ ગાઈડલાઈન જારી કરી છે.
ભોજન પકાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
નોનવેજ બનાવતી વખતે આ વાતોનું નાખો ધ્યાન
ખાવા પીવાની વસ્તુઓ લાંબા સમય સુધી ફ્રિઝમાં સ્ટોર કરવી નહીં
રસોડા અને ગેસને સેનિટાઈઝ કરી લો
WHOએ જણાવ્યું કે, ભોજન પકાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમાં ભોજન પકાવતા પહેલાં અને ભોજન પકાવતા દરમિયાન વારંવાર હાથ ધોવાનું રાખો. ભોજન પકાવવાની જગ્યા, ગેસ સ્ટવ અને વાસણોને સારી રીતે ક્લિન કરો અને સેનિટાઈઝ કરતા રહો.
આ સિવાય રસોડામાં માખી-મચ્છર ન આવે તેની તકેદારી રાખો. રસોડામાં પાળતૂ પ્રાણીઓને આવવા દેવા નહીં. સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા સૂક્ષ્મ જીવ વાસણ અને ભોજન પકાવતી વખતે ઉપયોગમાં લેવાતા કપડાં પર પણ હોય છે. જેથી તેનાથી પણ બીમારી ફેલાવાનો ખતરો રહે છે. તો નિયમિત રસોઈના કપડાંને ધોઈને ચોખ્ખા રાખો.
નોનવેજ પકાવતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
WHO મુજબ પોલ્ટ્રી ઉત્પાદનો જેમ કે, મીટ, ચિકન અને સીફૂડને ખાવાપીવાની અન્ય વસ્તુઓથી દૂર રાખો. રૉ મીટને સાફ કે કટ કરવા માટે અલગ વાસણ અને છરીનો ઉપયોગ કરો. તૈયાર ભોજન અને રૉ મીટ વચ્ચે કોઈપણ પ્રકારનું સંપર્ક ન થાય તેનું પણ ધ્યાન રાખો. WHO મુજબ રૉ એટલે કે કાચા મીટ, પોલ્ટ્રી, ચિકન અને ફિશમાં ઘણાં એવા સૂક્ષ્મ જીવ હોય છે જે ભોજન પકાવતી વખતે અન્ય વસ્તુઓને પણ સંક્રમિત કરી શકે છે.
આ વાતોનું રાખો ધ્યાન
મીટ, ચિકન, ફિશ અને અન્ય સી-ફૂડને સારી રીતે ધોઈને ચોખ્ખા કરીને જ વાપરવા.
મીટ, ચિકન, ફિશ અને અન્ય સી-ફૂડને સારી રીતે પકાવીને જ ખાવા. કાચાં ખાવા નહીં.
સૂપ અને વેજિટેબલ કે નોનવેજ સ્ટોક બનાવતી વખતે તેનું તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ સુધી રાખવું જરૂરી છે.
મીટ અને ચિકન બનાવતી વખતે ધ્યાન રાખવું કે તેની ગ્રેવી ગુલાબી ન રહે અને નોનવેજ 30 મિનિટ સુધી પકાવીને ખાવું.
ખાવા પીવાના સામાનને લાંબો સમય સુધી ફ્રિઝમાં સ્ટોર કરીને રાખવું નહીં.