ભારતમાં પાન કાર્ડ અને આધાર કાર્ડને સૌથી મહત્વના દસ્તાવેજો માનવામાં આવે છે. કોઈ પણ જરૂરી કામ માટે, વેરિફિકેશન માટે પાન કાર્ડ અને આધાર કાર્ડની જરૂર પડે છે. ખાતુ ખોલવાનુ હોય, પોતાના ઓળખ કાર્ડનું પ્રમાણ આપવાનું હોય અથવા પછી કોઈ વ્યાપારની શરૂઆત કરવાની હોય. કોઈ પણ ઓફિસમાં પ્રવેશ વખતે જે મહત્વના પુરાવાની જરૂર પડે છે તેમાં પાન કાર્ડ અને આધાર કાર્ડનો સમાવેશ થાય છે.
કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ તેના પાન અને આધાર કાર્ડનું શું કરવુ?
આ દસ્તાવેજો ખોવાઈ જશે તો થશે મોટું નુકસાન
દસ્તાવેજોનો ખોટો ઉપયોગ ના થાય તે માટે કરો આ જરૂરી કામ
મૃત્યુ બાદ પાન અને આધાર કાર્ડનું શું કરવુ જોઈએ
આ દરમ્યાન દરેક પુરાવા સાથે જોડાયેલી ઔપચારિકતાને જરૂર પુરી કરવી પડે છે. તેથી તમારા આ દસ્તાવેજો ખોવાઈ જાય અથવા પછી તેનો દુરુપયોગ થાય તો તેનું મોટું નુકસાન થઇ શકે છે. તેથી આવા મહત્વના પુરાવાની માહિતી ક્યારેય કોઈ વ્યક્તિને આપવી જોઈએ નહીં. જીવતા વ્યક્તિના દસ્તાવેજોનો ખોટો ઉપયોગ થઇ શકે છે તો મૃત્યુ બાદ દસ્તાવેજ સાથે છેડછાડ થવાની શક્યતા વધી જાય છે. તેથી આજે અમે તમને જણાવીશું કે મૃત્યુ બાદ પાન કાર્ડ અને આધાર કાર્ડનું શું કરવુ જોઈએ.
પાન કાર્ડ મહત્વનો ડોક્યુમેન્ટ
ખરેખર, ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે પાન કાર્ડ સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ હોય છે. એવામાં બેન્ક એકાઉન્ટથી લઇને ડીમેટ સહિત દરેક જગ્યા પર પાન કાર્ડની ફરજીયાત જરૂર પડે છે. તેથી ખૂબ જ જરૂરી છે કે જ્યાં સુધી ઈન્કમ ટેક્સ રિટર્નની પ્રક્રિયા પૂર્ણ ના થઇ જાય ત્યાં સુધી આ દસ્તાવેજ સંભાળીને રાખો. જેવુ મૃતકના ટેક્સ રિટર્નનું રિફન્ડ ખાતામાં આવી જશે. આ સાથે ડીપાર્ટમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. તમે એકાઉન્ટને બંધ કરવા માટે આવકવેરા વિભાગને આ સોંપી શકો છો.
પાન કાર્ડને આપતા પહેલાં આ કામ પતાવી લો
ખરેખર મૃતક વ્યક્તિના પાન કાર્ડને સરેન્ડર કરતા પહેલાં સૌથી જરૂરી છે કે મૃતકના દરેક ખાતાને કોઈ બીજા વ્યક્તિના નામ પર ટ્રાન્સફર કરાવી દો અથવા પછી બંધ પણ કરાવી શકો છો. ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગની પાસે આ અધિકાર પણ હોય છે કે તે 4 વર્ષના એસેસમેન્ટને ફરી વખત ખોલી શકે છે. તેથી કોઈ મૃતકનું કોઈ ટેક્સ રિફન્ડ બાકી છે, તો તેને પહેલાં જ ચેક કરાવી નાખો.
આ રીતે સરેન્ડર કરો પાન કાર્ડ
તમારે મૃતક વ્યક્તિનું પાન કાર્ડ સરેન્ડર કરાવવુ ફરજીયાત નથી. જો તમને લાગે છે કે ભવિષ્યમાં તમારે તેમના પાન કાર્ડની જરૂર પડશે તો તમે તેને સંભાળીને રાખી શકો છો. પરંતુ જો કોઈ કામ ના હોય તો તેને બંધ કરાવવુ વધુ સારુ છે. કારણકે આ દસ્તાવેજ ખૂબ જ જરૂરી હોય છે. બીજી તરફ જો કોઈ ખોટી વ્યક્તિના હાથમાં ડોક્યુમેન્ટ આવી જાય તો તેનો દુરૂપયોગ થઇ શકે છે.