શું તમે જાણો છો કે કોઈનું નિધન થાય તો તેના ખાસ ડોક્યુમેન્ટ્સ જેવા કે Aadhaar-PAN, વોટર કાર્ડ કે પાસપોર્ટનું શું કરવું જોઈએ.
Aadhaar-PAN, વોટર કાર્ડ કે પાસપોર્ટ છે ખાસ ડોક્યુમેન્ટ
વ્યક્તિના નિધન બાદ ડોક્યુમેન્ટની છે આ ખાસ પ્રોસેસ
જાણો કઈ રીતે કરાવી શકશો કેન્સલ
Aadhaar-PAN, વોટર કાર્ડ કે પાસપોર્ટ દરેક વ્યક્તિ માટે જરૂરી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે. આ ડોક્યુમેન્ટ ઓળખ માટે જરૂરી છે. તેના વિના તમારા અનેક કામ અટકી શકે છે. પણ જો કોઈ વ્યક્તિનું મોત થાય છે તો તમે તેના ડોક્યુમેન્ટનું શું કરશો. આ ડોક્યુમેન્ટ બેકાર બને છે તો આ સમયે તમારે એટલે કે નોમિનીએ તેને કેન્સલ કરાવવા પડે છે. જો તમે આ કામ કરવા ઈચ્છો છો તો જાણી લો તેના નિયમ પણ.
આધાર કાર્ડ (Aadhar Card)
આધાર નંબર ઓળખની સાથે સરનામાના પ્રમાણના રૂપમાં પણ કામ કરે છે. અનેક જગ્યાઓએ એલપીજી સબ્સિડીનો લાભ લેતી સમયે સરકાર પાસેથી વિદ્યાર્થી સ્કોલરશીપ, ઈપીએફ ખાતાના કેસમાં આધાર કાર્ડ નંબર જરૂરી છે. તેમાં આધારની સાથે જોડાયેલી સેવાઓ માટે UIDAIની પાસે મૃત્યુ પામનારાના કાર્ડને રદ્દ કરવાની કોઈ પ્રક્રિયા નથી. પણ તોઈ મૃતકે સરકારી યોજના લીધી છે તો તેના પરિવારે તેની જાણકારી UIDAIને આપવાની રહેશે કેમકે તે આધાર સાથે લિંક હોય છે.
પાન કાર્ડ (PAN Card)
Income Tax Return સહિતની અનેક સુવિધાઓનો લાભ લેવા માટે પાનકાર્ડ અનિવાર્ય ડોક્યુમેન્ટ છે. તે અનેક એકાઉન્ટ સાથે લિંક હોય છે. એવામાં જો વ્યક્તિનું મોત થાય છે ચો મૃતકના પરિવાર આયકર વિભાગમાં સંપર્ક કરીને પાન કાર્ડ સરેન્ડર કરે તે જરૂરી છે. આ પહેલા ચેક કરી લો કે નિધન પામનારના દરેક બેંક ખાતા પણ બંધ થઈ ચૂક્યા છે કે નહીં.
વોટર આઈડી કાર્ડ (Voter ID card)
વોટ આપવા માટે આ એક અનિવાર્ય ડોક્યુમેન્ટ છે. તે જણાવે છે કે મતદાતાની સૂચિમાં તમારું નામ સામેલ છે. મોતના બાદ વોટર આઈડી કાર્ડને રદ્દ કરી શકાય છે. 1960ના નિયમા આધારે મતદાતા ઓળખ પત્ર મૃત્યુ બાદ રદ્દ કરવાની યોજના છે. એક્સપર્ટના આધારે જો કોઈના પરિવારમાં કોઈ સભ્યનું મોત થાય છે તો પરિવારનો કોઈ વ્યક્તિ ચૂંટણી કાર્યાલયમાં જઈને ફોર્મ નંબર 7 ભરીને તેને કેન્સલ કરાવી શકે છે.
પાસપોર્ટ (Passport)
જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાય છે તો પાસપોર્ટ રદ્દ કરવાનું કોઈ પ્રાવધાન નથી, જ્યારે પાસપોર્ટની સમય સીમા સમાપ્ત થાય છે ત્યારે તમે રિન્યૂ નહીં કરાવો તો તે જાતે જ કેન્સલ થઈ જાય છે.