દેશના 10 કરોડ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 11મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. જો તમને તે ન મળ્યો હોય તો શું કરવું જોઈએ.
ગઈ કાલે પીએમ મોદીએ ટ્રાન્સફર કર્યા પૈસા
તમારા ખામાં આવ્યા પીએમ કિસાન સન્માન નિધિના પૈસા?
જો નહીં તો આ રીતે કરો ચેક
ગઈકાલે એટલે કે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 10 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 11મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો. ગઈકાલે આ યોજના હેઠળ પીએમ મોદીએ કુલ 21,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા મોકલવામાં આવ્યા છે.
શિમલામાં તેમની સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ બટન દબાવીને દરેક ખેડૂતના ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. જો તમે લાભાર્થી ખેડૂતોમાંથી એક છો, તો તરત જ તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તે તપાસો. જો આ રકમ તમારા ખાતામાં નથી આવી તો તમે તેના માટે જરૂરી તપાસ અને કાર્યવાહી કેવી રીતે કરી શકો તે અહીં જાણો.
પૈસા મેળવવા શું કરશો?
પીએમ કિસાન પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર તમામ ખેડૂતોને જાણ કરવામાં આવી છે કે કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો મેળવવા માટે તેમના માટે eKYC કરવું ફરજિયાત છે. જો તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી તો આ રકમ તમારા ખાતામાં નહીં આવે. એટલે કે તેને ચેક કરો અને જો ઈ-કેવાઈસી પુરુ ન કરવામાં આવ્યું હોય તો તાત્કાલીક કરી લો.
ઇ-કેવાયસી કર્યા પછી પણ પૈસા ન આવ્યા તો શું કરવું
તમારે પીએમ કિસાન યોજના હેઠળ તમારી સ્થિતિ અને લાભાર્થીની સૂચિ પણ તપાસવી જોઈએ. જો Beneficiary Listની તપાસ કર્યા પછી તમારું નામ દેખાતું નથી તો તમારી અરજીમાં ભૂલ હોવાની સંભાવના છે. આને સુધારવા માટે તમે પોર્ટલ પર અને નજીકના કૃષિ સહાયતા કેન્દ્ર પર ઑફલાઇન જઈને સુધારો કરી શકો છો.
આ રીતે ચેક કરો
સૌથી પહેલા તમારે PM કિસાનની ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in પર જવાનું રહેશે.
તેમાં હોમ પેજ પર, તમને ફાર્મર્સ કોર્નરનો વિકલ્પ મળશે.
તેના પર ક્લિક કરો, તેની અંદર તમારે Beneficiaries List પર ક્લિક કરવાનું રહેશે.
ડ્રોપ ડાઉન પર ક્લિક કરો.
હવે તેમાં રાજ્ય, જિલ્લો, પેટા જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
આ પછી તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે.
જો તમારું નામ લાભાર્થીઓની યાદીમાં ન આવ્યું હોય, તો અરજીમાં કંઈક ગડબડ હોવાની સંભાવના છે.
તમારા નજીકના કૃષિ સહાયતા કેન્દ્ર પર જઈને પોર્ટલની મદદથી અથવા ઑફલાઇન ભૂલ સુધારો.