ઘણી વખત ઉતાવળમાં ખોટી બેંક ડિટેલ્સ ભરવાના કારણે પૈસા ખોટા બેંક એકાઉન્ટમાં જતા રહે છે. ઘણા લોકોને એ વાતની જાણકારી હોતી નથી કે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઇએ અને એ પૈસાને કેવી રીતે પાછા મેળવી શકાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમારી સાથે આવું થઇ જાય તો તમારે શું કરવું જોઇએ.
ખોટા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્ફર થવા પર ના થાવ પરેશાન
બેંક પરત અપાવશે પૈસા
જો બીજા ખાતાના લોકો પૈસા પરત કરવાની ના પાડી દે તો એની વિરુદ્ધ કેસ દાખલ કરી શકાય છે
આવી રીતે મળશે રૂપિયા
ખોટા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થવા પર બેંકને જલ્દી જણાવો
કોઇ બીજાના ખાતામાં અથવા વધારે પૈસા ટ્રાન્સફર થવા પર તમારી બેંકની પાસે જલ્દીથી ફરિયાદ નોંધાવો. જો તમારું અને લાભાર્થીનું ખાતું એક જ બેંકમાં છે તો પ્રોસેસ જલ્દી પૂર્ણ થઇ જશે. એક અથવા બે દિવસની અંદર તમારા ખાતામાં પૈસા પરત આવી જશે.
આરબીઆઇના દિશા નિર્દેશ છે કે જો ભૂલથી પૈસા કોઇ બીજા ખાતામામ જમા થઇ જાય છે તો બેંકને જલ્દીથી જલ્દી પગલું ભરવું પડશે. બેંકને ખોટા ખાતાથી પૈસાને સાચા ખાતામાં પરત કરવાની વયવસ્થા કરવી પડશે.
ટ્રાન્ઝેક્શનના પુરાવા માટે તમે ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશૉટને પણ રજૂ કરી શકે છે. ત્યારબાદ બેંક પોતાની પ્રક્રિયા કરશે જેમાં 2 થી 3 દિવસ સુધીનો સમય લાગી શકે છે.
રૂપિયા ટ્રાન્સફર વાળા ખાતાની બેંક બ્રાંચ પર પણ જવું પડશે
જો સરેન્ડર અને રિસીવરના અકાઉન્ટ એક જ બેંકમાં છે તો આ પ્રોસેસ જલ્દી પૂરી થઇ જાય છે પરંતુ જો રિસીવરનું એકાઉન્ટ બીજી બેંકમાં છે તો ટાઇમ લાગે છે.
બીજી બેંક હોવાની સ્થિતિમાં જે બેંક એકાઉન્ટમાં પોતાના ભૂલથી પૈસા ટ્રાન્સફર કર્યા છે એ બેંકની બ્રાંચ જઇને ફરિયાદ દાખલ કરવી પડશે. બેંક પોતાના ગ્રાહકની પરવાનગી વગર કોઇને પણ પૈસા ટ્રાન્સફર કરી શકે નહીં.
સાથે જ બેંક પોતાના ગ્રાહકો માટે પણ જાણકારી પણ આપતા નથી. એટલા માટે તમારે એ બેંકને તમામ સ્થિતિથી અવગત કરાવવી પડશે. ત્યારબાદ એ બેંક તે ખાતાના ઓનરને સૂચિત કરશે અને પૈસા પોતાના અકાઉન્ટમાં પાછા ટ્રાન્સફર કરવાનું કહેશે.
જો બીજા ખાતાના લોકો પૈસા પરત કરવાની ના પાડી દે તો
ભૂલથી અમાઉન્ટ ટ્રાન્સફર વાળા મોટાભાગના કેસમાં રિસીવર પૈસા પરત કરવા તૈયાર થઇ જાય છે, પરંતુ જો એ પૈસા પરત કરવાની ના પાડી દે છે તો એની વિરુદ્ધ કેસ દાખલ કરી શકાય છે.