ડાયાબિટીસના દર્દીઓને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે તે માટે ડાયટ ખાસ ફોલો કરવુ પરંતુ શરીરને તમામ પોષક તત્વો મળી રહે તે પણ જરૂરી
ડાયાબિટીસના દર્દીઓએ રાખવુ જોઇએ ધ્યાન
વારંવાર થાક લાગે છે તો ડાયટમાં કરો ચેન્જ
ભોજનમાં સામેલ કરો હાઇ ફા્યબર
આજકાલ લોકોમાં ડાયાબિટીસની વધારે સમસ્યા જોવા મળે છે. આ કારણે તેઓની એનર્જી જલ્દી જ પુરી થઇ જાય છે. વારંવાર તેઓ થાક અનુભવે છે. ડાયાબિટીસની સમસ્યા ધરાવતા લોકોને હાઈ બ્લડ પ્રેશર, બ્રેઈન હેમરેજ, વગેરે જેવી અન્ય ઘણી બીમારીઓનો પણ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસ કંટ્રોલ કરવુ ખૂબ જ જરૂરી છે. જો તમને ડાયાબિટીસ છે અને તમે ખૂબ અશક્તિ અનુભવો છો તો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને જણાવીશું કે કઈ આદતો આ સમસ્યાનું કારણ બની છે.
ડાયાબિટીસના દર્દીઓએ આ વાતનું રાખવું ધ્યાન
ફાઇબરનું પ્રમાણ ઘટાડશો નહીં
ઘણા લોકો ખૂબ જ ઓછી માત્રામાં ફાઈબર ખાય છે, પરંતુ જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો તમારે તમારા આહારમાં ફાઈબરનો સમાવેશ કરવો જોઈએ કારણ કે ફાઈબર ખાવાથી શરીરને એનર્જી મળે છે અને સાથે જ થાક પણ દૂર થાય છે.તેથી આપણે પ્રોટીન જેવા પૌષ્ટિક તત્વોને ઉમેરવા જોઈએ.ફાઈબર, ફેટ વગેરે આપણા ખોરાકમાં હોય છે, આનાથી આપણા શરીરને એનર્જી મળે છે સાથે જ થાક પણ દૂર થાય છે.
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો
જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે તેને કંટ્રોલમાં રાખવું જોઈએ, ડાયાબિટીસ કંટ્રોલ ન હોવાને કારણે લોકોને થાક અને એનર્જી ઓછી રહે છે, આવી સ્થિતિમાં હંમેશા તમારા ડાયાબિટીસની તપાસ કરો, તેનું નિરીક્ષણ કરો અને તેને કંટ્રોલમાં રાખો. તેનાથી તમને થાક લાગશે નહીં.
વધારે તેલયુક્ત ખોરાક ન ખાઓ
ડાયાબિટીસના દર્દીઓએ વધુ તેલયુક્ત મસાલા ખાવાનું ટાળવું જોઈએ. આવી સ્થિતિમાં, તમારે આહારમાં ફળો ઉમેરો જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. સાથે જ તમારા આહારમા એવો ખોરાક લો કે જેનાથી બ્લડ શુગર ન વધે, સાથે જ એવો ખોરાક ખાઓ જે શરીરને એનર્જી આપે જેનાથી તમારો થાક પણ દૂર રહે.