દેશમાં જેટલો જલ્દી કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યુ છે તેટલો જ લોકોનો ભરોસો વેક્સિન પર વધી રહ્યો છે. 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની મંજૂરી મળી ગઇ છે.
કોરોના વેક્સિન લીધા બાદ શું કરવુ ?
વેક્સિન લીધા પહેલા લક્ષણ દેખાય તો શું ?
હેલ્થ એક્સપર્ટની સલાહ દ્વારા જાણો ?
જો કે વેક્સિન લઇને પણ લોકોના મનમાં કેટલાક સવાલ છે જેમકે વેક્સિન લીધા પહેલા કોરોનાના લક્ષણ દેખાય તો શું કરવુ જોઇએ. કોરોનાનો પહેલો ડોઝ લીધા બાદ કોરોના થાય તો શું કરવુ જોઇએ.
હેલ્થ એક્સપર્ટ સામે આ પ્રકારના સવાલોની લાંબી લિસ્ટ છે. વેક્સિનને લઇને ઉઠી રહેલા સવાલોનો જવાબ આપતા અમેરિકાના ડૉક્ટર અમેશે કહ્યું કે કોરોનાના લક્ષણ દેખાય તો વેક્સિન થોડા દિવસ બાદ લેવી જોઇએ. તેના પાછળનું કારણ છે કે વેક્સિન લેતા સમયે તમે સેન્ટર પર પણ લોકોને સંક્રમિત કરી શકો છો.
સીડીસીની ગાઇડલાઇન્સ પ્રમાણે કોરોનાના લક્ષણ દેખાય ત્યારે વેક્સિન ન લેવી જોઇએ, જ્યાં સુધી દર્દી સાજો ન થઇ જાય ત્યાં સુધી તેને આઇસોલેશનમાં જ રહેવું જોઇએ. આવી પરિસ્થિતિમાં તમારે વેક્સિન લેવાની તારીખ 2-3 અઠવાડીયા બાદ લેવી જોઇએ.
વિશેષજ્ઞોના કહ્યાં અનુસાર પહેલો ડોઝ લીધા બાદ જો કોઇ કોરોનાથી સંક્રમિત થાય છે તો તેને ઠીક થયા બાદ ઘણા અઠવાડીયા સુધી વેક્સિન ન લેવી જોઇએ. નવી સ્ટડી અનુસાર કોરોનાથી સાજા થયા બાદ ઓછામાં ઓછા 3 મહિના સુધી વેક્સિન ન લેવી જોઇએ. તેનાથી એન્ટીબોડી મજબૂત થાય છે.
મોઢામાંથી વાસ આવવી
મોઢુ સુકાવવાની જગ્યાએ માત્ર બોલવામાં અને ખાવામાં જ નહી પરંતુ ઘણી વાસ શ્વાસમાં પણ તકલીફ થાય છે. એટલા માટે મોઢામાંથી વાસ આવે છે. જો તમારા મોઢામાં વાસ આવે તો ડૉક્ટર પાસે જાઓ.
લક્ષણો બદલાયા છે
2020માં કોરોનાની શરૂઆત થઇ ત્યારે તેના લક્ષણ શરદી, ખાંસી, તાવ વગેરે હતા પરંતુ હવે નવા સ્ટ્રેનમાં લક્ષણો પણ બદલાયા છે. જેનાથી તમને ખબર પડશે કે તમને કોરોના થયો છે કે નહી અને તપાસ કરાવવી જોઇએ કે નહી.
પેટમાં દુખવુ અને બેચેની
ગરમી આવે એટલે સામાન્ય રીતે બેચેની થવા લાગે છે અને લોકો તેને નજરઅંદાજ કરી દે છે પરંતુ છેલ્લા થોડા દિવસમાં આવેલા પેશન્ટમાં બેચેની અને પેટના દુખાવાની ફરિયાદ લઇને આવ્યા હતા અને તે પોઝીટીવ આવ્યા છે. જો તમને આ સમસ્યા બે કે ત્રણ દિવસથી વધારે રહે છે તો તેને હલકામાં ન લેશો.
માંસપેશીઓમાં દુખાવો અને કમજોરી
કમજોરી પણ કોરોનાના લક્ષણમાં સામાન્ય રીતે જોવા મળે છે. ઘણા દર્દીઓ જણાવે છે કે તેમને એવુ ફીલ થાય છે કે તે આળસના શિકાર બની ગયા હોય. તેમના શરીરમાં ઉર્જા જ ન રહે અને જો તે કોઇ જગ્યાએ બેસે તો એક બે કલાક સુધી ઉભા ન થઇ શકે. વધારે ચાલવા પર તેમને થાક લાગી જાય છે. માંસપેશીઓમાં પણ દુખાવો થાય છે. જો તમને આવા લક્ષણ છે તો તાત્કાલિક તપાસ કરાવી લો.
ભૂખ ન લાગવી અને મેન્ટલ હેલ્થ પર અસર
પહેલા કોરોનાના પોસ્ટ લક્ષણમાં જોવા મળતુ હતુ પરંતુ હવે મુખ્ય લક્ષણમાં આવી ગયુ છે કે કોરોનાના પેશન્ટને સામાન્ય રીતે મેન્ટલ હેલ્થ પર અસર થઇ જાય છે. સ્વભાવ ચિડીયો થઇ જાય છે અને માણસ શારીરિક અને માનસિક રૂપથી કમજોર થઇ જાય છે.