ગુજરાત પર 'મહા' વાવાઝોડાનું જોખમ છે. ત્યારે આ વાવાઝોડું વેરાવળથી 720 કિમી દૂર સમુદ્રમાં છે. તે ગુજરાત સુધી પહોંચે તે પહેલા જ ધીમું પડી જશે તેવી સંભાવનાઓ દર્શાવાય રહી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર અલર્ટ થયું છે. સમગ્ર રાજ્યમાં 6 અને 7 નવેમ્બરે ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અસર થશે. ત્યારે આ વાવાઝોડાં સામે લડવા કેટલું તૈયાર છે ગુજરાત?
વાવાઝોડા પહેલાંની તૈયારી
વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું?
વાવાઝોડા બાદ કામગીરી શું કરવી
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારના જણાવ્યા અનુસાર, 7 નવેમ્બરની સવારે મહા વાવાઝોડું દીવ અને પોરબંદર વચ્ચે ટકરાશે. આ વાવાઝોડા દરમિયાન 70-80થી કિમીની ઝડપે પવન ફૂંકાશે. તેમજ સંભવિત અસરોને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં અલર્ટ કરવામાં આવ્યું છે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરાવા સૂચન કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે આ વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા તો તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જણાવાય રહ્યું છે પરંતુ ગુજરાતની જનતા પોતે કેટલી તૈયાર છે? ત્યારે જાણો વાવાઝોડા પહેલાંની શું કરવી તૈયારી ? વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું ન કરવું? વાવાઝોડા બાદ કામગીરી શું કરવી...
વાવાઝોડા પહેલાંની તૈયારી
રહેઠાણની મજબૂતીની ખાતરી કરી લો અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો. જર્જરિત મકાનમાં ન રહેવું.
સમચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.
આપના રેડિયો સેટને ચાલુ હાલતમાં રાખો, ચકાસી લો.
સ્થાનિક અધિકારીઓના અને કચેરીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્નો કરો.