આજે વર્ષનું બીજું સૂર્યગ્રહણ થવાનું છે. સૂર્ય ગ્રહણની આ ખગોળીય ઘટના દક્ષિણી અમેરિકા, પ્રશાંત મહાસાગર અને દક્ષિણમધ્ય અમેરિકા, એટલાન્ટિંકા અને અર્જેટીનામાં જોઇ શકાશે.
ગ્રહણકાળમાં સૂર્યને જોવો અશુભ માનવામાં આવે છે. પરંતુ ગ્રહણ બાદ જો તમે કેટલાક ઉપાય કરો છો તો તમને ક્યારેય પણ પૈસાની કમી થશે નહીં.
ગ્રહણ સમાપ્ત થયા બાદ કોઇ પણ જરૂરીયાતમંદોને એમની જરૂરીયાત વસ્તુનુ દાન કરો. હિંદુ ધર્મમાં દાનનું ખૂબ જ મહત્વ છે. દાન કરવાથી પુણ્ય મળે છે તો આવું કરવાથી આપણા પાપનો નાશ પણ થાય છે.
હિંદુ ધર્મમાં ગ્રહણ કાળ બાદ સ્નાન કરીને શરીરની શુદ્ધિ કરવી ખૂબ મહત્વની જણાવી છે. એટલા માટે ગ્રહણ ખતમ થતાં જ સૌથી પહેલા નહીને નવા કપડાં પહેરી લો.
ગ્રહણ સમાપ્ત થતા જ કોઇ મંદિરમાં જઇને ભગવાનની પૂજા અર્ચના કરો, એનાથી મનના તમામ વિકાર નષ્ટ થઇ જાય છે.
ગ્રહણ સમાપ્ત થયા બાદ તાજો લોટ બાંધીને ગાયને રોટલી ખવડાવો, આવું કરવાથી માં લક્ષ્મી કૃપા કરે છે. અને ઘરમાં પૈસાનીની કમી રહેતી નથી.
ગ્રહણ સમાપ્ત થયા બાદ ઘરમાં રહેલા મંદિરની સાફ સફાઇ કરો, ભગવાનના પણ વસ્ત્ર બદલી નાંખો.