એક ચુકાદમાં સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું કે હોસ્પિટલો પૈસા કમાવવાનું સાધન બની છે. લોકોના જીવનના ભોગે અમે હોસ્પિટલોને સમૃદ્ધ નહીં થવા દઈએ.
હોસ્પિટલોમાં આગ લાગવાના કેસની સુપ્રીમમાં થઈ સુનાવણી
સુપ્રીમ કોર્ટે હોસ્પિટલો પર આકરી ટીપ્પણી
હોસ્પિટલો પૈસા કમાવવાનું સાધન બની છે
હોસ્પિટલો રિયલ એસ્ટેટ ઉદ્યોગ બની છે
લોકોના જીવનના ભોગે હોસ્પિટલોને કદી પણ સમૃદ્ધ નહીં થવા દઈએ-સુપ્રીમ
કોરોના કાળમાં હોસ્પિટલોની પૈસા લેવાની દાનત પર સુપ્રીમ કોર્ટે ખૂબ ગુસ્સે ભરાઈ છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એમઆર શાહની પીઠે જણાવ્યું કે હોસ્પિટલો મોટી ઉદ્યોગ બની ગઈ છે અને આ બધુ માણસનું જીવન જોખમમાં કરાઈ રહ્યું છે. અમે હોસ્પિટલોને લોકોના જીવનના ભોગે સમૃદ્ધ થવા નહીં દઈએ. આવી હોસ્પિટલોને તાળા મારી દેવા જોઈએ.
હોસ્પિટલો લોકોને મદદ કરવાને બદલે પૈસા કમાવવાનું સાધન બની
હોસ્પિટલોમાં આગ લાગવાના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમની ખંડપીઠે આવી ઉગ્ર ટકોર કરી હતી. પીઠે કહ્યું કે એક દર્દી સાજો થઈ ગયો હતો અને તેને રજા મળવાની હતી પરંતુ આગ લાગવાને કારણે તેનુ મોત થઈ ગયું. અને બે નર્સ પણ જીવતા સળગી ગઈ. હોસ્પિટલ એક રિયલ એસ્ટેટ ઉદ્યોગ બની ગઈ છે અને સંકટમાં આવેલા લોકોને મદદ કરવાને બદલે તે પૈસા કમાવવાનું મશીન બની છે.
હોસ્પિટલો ઉદ્યોગ બની છે- કોર્ટ
સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું કે હોસ્પિટલો હવે તેમનું મૂળ કામ ભૂલીને ઉદ્યોગ બની છે, પૈસા કમાવવાનું સાધન બની છે. હોસ્પિટલમાં અગ્નિ સુરક્ષા પરના એક પંચના રિપોર્ટને સીલબંધ કવરમાં રજૂ કરવાના મુદ્દે પણ સુપ્રીમ કોર્ટે નારાજગી દેખાડી. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે મહોરબંધ કવરમાં પંચનો આ કયો રિપોર્ટ છે. શું આ કોઈ પરમાણુ રહસ્ય છે કે આ બંધ કવરમાં પૂરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે.