સરકાર આ ટકરાવને ખતમ કરવા માટે બેતાબ છે, સરકારને આશા હતી કે આ પ્રસ્તાવ કામ કરશે પરંતુ આ આશા ઠગારી નીવડી છે.
ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો
સરકાર અને ખેડૂતોની વચ્ચે 11 મી બેઠક પર અસફળ
સરકારે આપ્યો હતો 18 મહિના સ્થગનનો પ્રસ્તાવ
સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં 10 રાઉન્ડની વાટાઘાટો યોજાઇ ચૂકી હતી અને તેમાં કોઈ પણ નિષ્કર્ષ નીકળ્યું નહોતું, જો કે આજે 11 માં રાઉન્ડની વાતચીત પછી પણ આ મડાગાંઠ વણઉકેલી રહી જવા પામી છે, જેના લીધે હવે સરકારે આજે ખેડૂતોને કહી દીધું હતું કે આજે અમે આ કાયદાઓના અમલને રોકવાનો પ્રસ્તાવ આપી શકીએ છીએ, આનાથી વિશેષ હવે કશું વધુ થઇ શકે તેમ નથી.
Talks remained inconclusive as farmers' welfare was not at the heart of talks from the unions' side. I am sad about it. Farmers unions said that they only want the repeal of the laws despite the govt asking for alternatives: Union Agriculture Minister Narendra Singh Tomar pic.twitter.com/0cFqTKRyAY
ગુરુવારે ખેડૂતોએ ચર્ચા પછી સરકારના નવા કૃષિ કાયદાના અમલને 18 મહિના એટલે કે 1.5 વર્ષ સુધી સ્થગિત રાખવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. સરકારને આશા હતી કે ખેડૂતો આ ઓફરને સ્વીકારશે, જો કે ખેડૂતોએ તેને ફગાવી દીધો હતો. જો કે સરકારે આ પ્રકારનો પ્રસ્તાવ આપ્યા પાછળ પાંચ મુખ્ય કારણો હતા.
1. સુપ્રીમ કોર્ટ તરફથી આ કાયદાને લાગૂ થતા સાથે જ રોકવામાં આવ્યું, જેમાં 12 જાન્યુઆરીના એક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે આ કાયદાના અમલ ઉપર રોક લગાવી દીધી હતી, ઘણા નેતાઓનું માનવું છે કે કોર્ટની પેનલ બનાવવી તે આ મામલે નિષ્કર્ષિત કરે છે કે સમાધાન જલ્દીથી જલ્દી થાય, અમુક નેતાઓ કોર્ટની આ દખલને યોગ્ય માનતા નથી.
We asked them to reconsider our proposal as it is in the interest of farmers and the country. We asked them to convey their decision tomorrow: Union Agriculture Minister Narendra Singh Tomar on the eleventh round of talks between farmer unions and the government https://t.co/3D8Ka2AXfG
2. આરએસએસનું કહેવું છે કે સરકારે ખેડૂતોની સાથે સોફ્ટ વલણ અપનાવવું જોઈએ, ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ભૈયાજી જોશીએ કહ્યું હતું કે બંને પક્ષોએ સંધાન કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ, અને એક સર્વસામાન્ય મત બનાવવો જોઈએ. સંઘ આ મુદ્દે જલ્દીથી સમાધાન ઈચ્છે છે અને તે નથી ઇચ્છતું કે તેના માણસો આ મુદ્દે વિભાજિત થાય.
3. સંઘનું આ મુદ્દે સરકારને ખુલ્લી રીતે સમર્થન ન મળવું ભાજપની અંદર એવી વિરોધી અવાજોને જોમ પૂરું પાડશે કે સરકારે આ કાયદા ઉપર હજુ વધુ વિચાર વિમર્શ કરવું જોઈએ.
4. 26 જાન્યુઆરીની ખેડૂતોની ટ્રેકટર પરેડ: મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે આ મામલે કોઈ પણ દખલ કરવાનો ઇન્કાર કરી દીધો છે, આ મામલે નિર્ણય દિલ્હી પોલીસે લેવાનો છે, જો કે સરકાર નથી ઇચ્છતી કે આ દિવસે ખેડૂતોની ટ્રેકટર પરેડ યોજાય, કેમ કે ગણતંત્ર દિવસે આ પ્રકારની પરેડ સરકાર માટે ભારે શરમજનક બની શકે છે.
5. સંસદસત્ર : આગામી 29 જાન્યુઆરીએ બજેટ સત્રની શરૂઆત થઇ રહી છે, કૃષિ કાયદાઓને લઈને વિપક્ષ તેના હથિયાર પડિયાર સજાવી રહ્યું છે, સરકારને અનુમાન છેકે આ વખતનું સત્ર તોફાની બની રહે તેમ છે, એટલે સરકાર જલ્દીથી આ મુદ્દે ખેડૂત આંદોલન ખતમ થાય તેમ ઈચ્છી રહી છે.