પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરો પર વોક ઈન વેક્સિનેશનની સુવિધા હજુ ઉપદબ્ધ નથી,પ્રાઈવેટ સેન્ટર પર શેડ્યુલ પ્રમાણે જ ઓનલાઈન સ્લોટ બુક કરાવી વેક્સિન લેવી પડશે
વેક્સિનનો બગાડ અટકાવવા કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ
ઓછો બગાડ થાય તે માટે હવે ઓન સ્પોટ રજિસ્ટ્રેશન
18થી14 વર્ષના લોકો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી નહીં
કેન્દ્ર સરકરા દ્વારા હાલ 18 થી 44 વર્ષના તમામ લોકો માટે વેક્સિનેશન માટે નવી ઘોષણા કરી છે જેમાં વેક્સિનેશન માટે 18 થી 44 વર્ષના લોકો માટે વેક્સિનેશન માટે ઓન લાઈન રજિસ્ટ્રેશન કરવું જરૂરી નથી રજિસ્ટ્રેશન કર્યા વગર પણ આ લોકો સીધા સરકારી સેન્ટર પર ઓન સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિન લઈ શકે છે, આ જોતા સરકાર દ્વારા ઓન લાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને બંધ કરી છે જો કે પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટરો પર વોક ઈન વેક્સિનેશનની સુવિધા હજુ ઉપદબ્ધ નથી જો કોઈ પ્રાઈવેટ વેક્સિન મેળવવા માંગ ેછે તો તેઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે પ્રાઈવેટ સેન્ટર પર શેડ્યુલ પ્રમાણે જ ઓનલાઈન સ્લોટ બુક કરાવી વેક્સિન લેવી પડશે..
ઓછો બગાડ થાય તે માટે હવે ઓન સ્પોટ રજિસ્ટ્રેશન
મહત્વનું છે કે કેન્દ્ર સરકારે વેક્સિનના બગાડને અટકાવવા માટે આ નિર્ણય કર્યો છે, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્ર્યાલયે સોમવારે જણાવ્યું હતું કે ઓન લાઈન સ્લોટ બુક કરાવીને કેટલાક લોકો સમયસર વેક્સિન લેવા માટે નથી પહોંચી શકતા એવામાં દિવસના અંત સુધીમાં કેટલાક વેક્સિનના ડોઝ ઉપોયગ કર્યા વગર રહી જાય છે જેનો બગાડ થાય છે આ જોતા કેટલાક લોકોને વેક્સિનનો લાભ મળે તે માટે ઓન સ્પોટ વેક્સિન રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એટલે જાઓ અને રજિસ્ટ્રેશન થઈ જાય અને તે બાદ વેક્સિન લઈ શકાય છે,
વેક્સિનનો બગાડ ન થાય
મંત્રાયલે જણાવ્યું હતું કે ઓન લાઈન સ્લોટ બુક કે ઓન લાઈન રજિસ્ટ્રેશન એટલા માટે કરાવામાં આવ્યું હતું કે વેક્સિન સેન્ટર પર ભીડ એકઠી ન થાય તેમજ વેક્સિનનો બગાડ ન થાય, અંતે કેન્દ્ર સરકારે એ પણ જણાવ્યું હતું આ નિર્ણય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પર છોડવામાં આવ્યો છે રાજ્યો ઓન સ્પોટ રજિસ્ટ્રેશનને લઈ પોતાની નિર્ણય કરે કે વેક્સિનના બગાડને કેવી રીતે અટકાવી શકાય અને 18થી44 વર્ષ વાળાઓને વેક્સિનનો ડોઝ કેવી રીતે આપી શકાય.
ભારતમાં 19.02 કરોડ લોકોનું વેક્સિનેશન થયું
મહત્વનું છે કે 45 વર્ષ કે તેની ઉપરની ઉંમરના લોકોને પહેલાથી સેન્ટર પર જઈને રજિસ્ટ્રેશન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ છે, અહી સરકારી આંકડાઓ પ્રમાણે ભારતમાં 19.02 કરોડ લોકોને વેક્સિનેશન થઈ ગયું છે, આટલા લોકોને વેક્સિન લગાવવામાં આવી છે, તેમાં 14.17 ટકા લોકો એ છે જેમણે વેક્સિનના બંન્ને ડોઝ લીધા છે, દેશમાં વસ્તીના 3.01 ટકા લોકોને વેક્સિન લઈ લીધી છે, સમગ્ર વિશ્વમાં 5 ટકા વસ્તીના લોકોએ જ કોરોના સામે વેક્સિન લઈ શક્યા છે.
ભારતમાં કોરોના કેસનું પ્રમાણ ઘટી રહ્યું છે
વર્તમાન સમયમાં ભારત દેશમાં કોરોનાની વાત કરવામાં આવે તો કોરોનાની બીજી લહેરનો ગ્રાફ નીચે જતો જોવા મળી રહ્યો છે, એટલે ભારતમાં કોરોના કેસનું પ્રમાણ ઘટી રહ્યું છે. દેશમાં અત્યાર સુધી 2 કરોડ 70 લાખથી વધુ કોરોના કેસ સામે આવી ચુક્યા છે, જેમાંથી 54 હજાર લોકો કોરોનામાંથી રિકવર થઈ સાજા થઈ ચુક્યા છે, હજુ પણ દેશમાં 25 લાખ 86 હજાર 782 કેસ એક્સિટ છે, જ્યારે 3 લાખ 7 હજાર 231 લોકોનું આ મહામારીમાં મોત થયું છે. કોરોનાથી બચવા એક જ ઉપાય છે કોવિડની બધી જ ગાઈડ લાઈનનું પાલન કરવું એ જ કોરોના સામે એક માત્ર બચાવ છે.