દરેક લીલા શાકતભાજી પૌષ્ટિક હોય છે પરંતુ બધાની પ્રકૃતિ અલગ હોવાથી ખાવાનો સમય પણ શરીર પર અસર કરે છે.
મૂળો ખાવાથી અનેક ફાયદા
મૂળો ખાધા બાદ શું ન ખાવું
મૂળો ખાવાથી શું થાય છે ફાયદો
મૂળો એ એક સિઝનલ ભાજી છે.બારે મહિના ન મળે. મૂળો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. લોકો તેના સલાડ અને પરાઠાનો ખૂબ જ આનંદ માણે છે, કારણ કે તેમાં વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન અને એન્થોકયાનિન જેવા પોષક તત્વો હોય છે જે આંતરડા, કિડની અને કેન્સરથી લઈને ડાયાબિટીસ સુધીની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તમે તેને દરરોજ તમારા આહારમાં સલાડ અને અથાણાના રૂપમાં સામેલ કરી શકો છો, પરંતુ મૂળો ખાધા બાદ કેટલાક ખાદ્યપદાર્થોનું સેવન કરવુ નુકસાન કારક છે. ત્યારે આવો જાણીએ કે મૂળા ખાધા પછી શું ન ખાવું.
દૂધ
લોકો ઘણીવાર કંઈપણ ખાધા પછી દૂધ પીવાની આદત રાખે છે. દૂધ પ્રવાહી હોય તો તે કંઈપણ નુકસાન પહોંચાડી શકે નહીં, પરંતુ એવું બિલકુલ નથી. વાસ્તવમાં, દૂધ અને મૂળા બંને પ્રકૃતિથી અલગ છે. આવી સ્થિતિમાં, બંને વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી તમારા પેટમાં ગંભીર સમસ્યાઓ થઈ શકે છે અને તમને સફેદ ચકામા પણ થઈ શકે છે, તેથી બંને વસ્તુઓનું એકસાથે સેવન કરવાનું ટાળો.
કારેલા
કારેલા એક પ્રકારનું લીલું શાકભાજી છે, જેને હૃદયની તકલીફ અને ડાયાબિટીસના દર્દીઓ પસંદ કરે છે. પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે જમતી વખતે કારેલાનું સેવન કરો તો મૂળા ખાવાનું ટાળો કારણ કે તેને એકસાથે ખાવાથી રિએક્શન થઈ શકે છે. જેના કારણે હાર્ટ એટેક, શ્વસન સંબંધી બીમારીઓનું જોખમ વધવા લાગે છે, તેથી કારેલા ખાધા પછી લગભગ 5 કલાક પછી જ મૂળો ખાઓ.
નારંગી
નારંગી એક એવું ફળ છે જેનું સેવન ત્વચા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, તેથી મોટાભાગના લોકો તેનું સેવન કરવામાં પાછીપાની કરતા નથી. પરંતુ જો તમે લંચ કે નાસ્તામાં મૂળાનું સેવન કર્યું હોય તો નારંગીનું સેવન કરવાનું ભૂલી જાવ, કારણ કે બંનેનું એકસાથે સેવન કરવાથી શરીરમાં ઝેર ફેલાઈ શકે છે. જેના કારણે પાચનની સમસ્યા વધી શકે છે.