ડાયાબિટીસના દર્દીઓને સાવચેતી રાખવાની ખાસ જરુર રહે છે કારણ કે ડાયાબિટીસની સાથે કેટલાક રોગો પણ તમારા શરીરમાં પ્રવેશી શકે છે
ડાયાબિટીસના દર્દીઓએ રાખવી સાવચેતી
બીપી જો વધી ગયુ તો થશે મુશ્કેલી
ડાયાબિટીસના દર્દીઓએ હેલ્ધી લાઇફસ્ટાઇલ રાખવી
બેઠાડુ જીવનશૈલીને કારણે આપણા શરીરમાં અનેક રોગો થઇ જાય છે. સ્વસ્થ જીવન શૈલી માટે ખોરાક અને કસરત પર ખાસ ધ્યાન આપવુ જરુરી છે. તેમાં પણ આજકાલ તો ફાસ્ટફૂડને કારણે શરીરમાં જોખમ ઉભુ થયુ છે. પોષણયુક્ત ખોરાક ખાવાને બદલે ફાસ્ટફૂડનુ દોર વધતા નાની ઉંમરમાં જ અસાધ્ય રોગો થઇ જાય છે. તેમાંનો એક રોગ છે ડાયાબિટીસ.
ડાયાબીટીસના દર્દીનું કેટલુ હોવુ જોઇએ બીપી ?
વર્તમાન સમયમાં ડાયાબિટીસના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમને એપણ ખબર હોવી જોઇએ કે બીપી વધવાથી તેની અસર ડાયાબિટીસ પર પણ પડે છે. આવી સ્થિતિમાં દર્દીઓએ જાણવું જોઈએ કે તમારું બીપી કેટલુ હોવું જોઇએ. જેથી તમારું બ્લડ સુગર ન વધે. કારણ કે તમારા બીપીની અસર બ્લડ સુગર પર પણ પડે છે. ત્યારે આવો જાણીએ દર્દીનું બીપી કેટલુ હોવુ જોઇએ.
દર્દીઓને બ્લડ પ્રેશર કેટલુ હોવું જોઇએ ?
શું તમે જાણો છો કે જ્યારે ડાયાબિટીસના દર્દીઓનું બ્લડ પ્રેશર વધી જાય છે ત્યારે કિડની અને આંખોને લગતી સમસ્યાઓ શરૂ થાય છે. સામાન્ય રીતે, ડાયાબિટીસના કિસ્સામાં, બ્લડ પ્રેશર સિસ્ટોલિક 120/80 mm Hg અને ડાયસ્ટોલિક 129/80 mm Hg હોવું જોઈએ. જો હાઈ બ્લડ પ્રેશર રીડિંગ્સ સતત રહે છે, તો તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ નહી તો તમે મુશ્કેલીમાં આવી શકો છો.
ઘરગથ્થુ ઉપચારો બ્લડ સુગરને નિયંત્રિત કરશે
હાલમાં મોટાભાગના લોકો ડાયાબિટીસથી પીડિત છે. આનો સામનો કરવા માટે, કેટલાક લોકો દવાઓ પર નિર્ભર છે, જ્યારે કેટલાક લોકો સાવચેતી રાખે છે. તમને જણાવી દઈએ કે આ એક એવી બીમારી છે જેને કાબૂમાં તો લઈ શકાય છે, પરંતુ તેને સંપૂર્ણપણે ખતમ કરી શકાતી નથી. આવી સ્થિતિમાં, યોગ્ય આહાર, સ્વસ્થ જીવનશૈલીની સાથે, તમારે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવવા પડશે, જેનાથી બ્લડ સુગરને નિયંત્રિત કરી શકાય છે.