જામજોધપુરના બાલવા ગામે ગૌચરની જમીનમાં પવનચક્કીના વિરોધ મામલે ગ્રામજનો અને કંપનની કોન્ટ્રાક્ટરો આમને સામને આવ્યા હતા. આ કેસમાં પોલીસે ગ્રામજનોના રક્ષણ કરવાને બદલે કંપનનો પક્ષ લઈને ગ્રામજનોને પ્રતાડિત કર્યા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ઓપેરા કંપનીએ ગૌચરની જમીનમાં પાંચ મોટી પવન ચક્કી ઊભી કરી હતી. સ્થાનિક પંચાયતે વિરોધ કર્યો છતાં પવન ચક્કીઓ ઉભી કરવામાં આવી હતી. જેને લઈને પંચાયત ધારા મુજબ ગ્રામ પંચાયતે દબાણ હટાવવા કંપનીને નોટીસ ફટકારી હતી. તેમ છતા કંપનીએ જવાબ નહીં આપતા ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
PSIની દાદાગીરી
ત્યારે કંપનીની ફરિયાદના આધારે પોલીસે ગ્રામજનો પર કરી કર્યાવાહી કરી હતી. પોલીસે કંપની પર કાર્યવાહી કરવાને બદલે ગ્રામજનો સામે કાર્યવાહી કરતા પોલીસનું પક્ષપાતી ભર્યું વલણ સામે આવ્યું હતું. કારણ કે, સ્થાનિક પોલીસે તલાટી સહિતના ગ્રામજનો સામે અટકાયતી પગલાં ભર્યા હતા. જામજોધપુરના PSI જે. કે. મોરીએ ગ્રામજનો સામે દાદાગીરી કરી અને નિવેદન આપવા પહોંચેલા તલાટીને માર માર્યો અને જે થાય તે કરી લેવાની ધમકી પણ આપી.
જેને લઈને ગ્રામજનો દ્વારા પોલીસ અને પવનચક્કી કંપનીના કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે, પવનચક્કી કંપનીની દાદાગીરીના કેસમાં DDOએ SPને તપાસના આદેશ કર્યા છતા PSI જે.કે. મોરીની દાદાગીરી યથાવત છે.
સળગતા સવાલ
PSI મોરી અને તેમની ટીમ ગ્રામજનોને સતત ધમકાવી રહી છે. ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે કેમ PSI મોરી વારંવાર કરી દાદાગીરી રહ્યા છે ? અગાઉ પણ તેમના પર ફરિયાદી મહિલાને ગાળો ભાંડવાનો આક્ષેપ લાગ્યો છે. ત્યારે કેમ કાયદાનું પાલન કરનાર પોલીસ કર્મીઓને કાયદાનો ડર નથી ? શું PSI જે.કે. મોરી ઉપરી અધિકારીઓના અંકુશમાં નથી ? કેમ વારંવાર ફરિયાદીને જ ધમકાવી રહ્યા છે PSI મોરી ?
કેમ પોલીસ કંપનીનો હાથો હોય તેવુ વર્તન કરી રહી છે ? શું જનતાનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસની નથી કેમ પોલીસ કંપનીએ કરેલુ દબાણ હટાવવા નથી જતી ? શું કંપની સામે કાર્યવાહી કરતા ડરી રહ્યા છે પોલીસ કર્મીઓ ?
શું પોલીસ કર્મીઓ અને કંપનીના અધિકારીઓની મિલીભગત છે ?કેમ સામાન્ય નાગરિક અને કંપની વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે ? શું હવે ગુજરાતમાં કંપનીઓની દાદાગીરી સામે અવાજ ઉઠાવવો પણ ગુનો છે ? કેમ PSI મોરીની દાદાગીરી છતા બદલી નથી થતી ? શું PSI મોરી પર SP સેજુલના ચાર હાથ છે ? કેમ દાદાગીરી કરતા PSI મોરીને છાવરી રહ્યું છે પોલીસ તંત્ર ? શું રેન્જ આઈજી PSI મોરી વિરુદ્ધ કાર્યવાહી કરશે કે પછી ભીનું સંકેલવાનો પ્રયાસ થશે.?