અલ્લુરી સીતારામ રાજૂ ભારતની સાંસ્કૃતિક અને આદિવાસીની ઓળખાણ, શૌર્ય, આદર્શો અને મૂલ્યોનું પ્રતિક છે.
અલ્લુરી સીતારામ રાજૂ મેમોરિયલ જનજાતીય સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય પણ બનાવવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે આંધ્ર પ્રદેશના ભીમાવરમનો પ્રવાસ કર્યો અને ત્યાં પીએમ મોદીએ સ્વતંત્ર સેનાની અલ્લુરી સીતારામ રાજૂની 125 મી જયંતી સામારોહમાં ભાગ લીધો અને તેમની કાંસાની બનેલી તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ખાસ મોકા પર એમને લોકોને સંબોધિત કર્યા અને અલ્લુરી સીતારામ રાજના પરિવારને મળ્યા. પીએમ મોદી એ રાજુની 90 વર્ષીય બહેનના પગે લગીને આશીર્વાદ લીધા હતા. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.
પીએમ મોદી એ આજે તેના સંબોધનમાં કહ્યું હતું કે આજે એક દેશ આઝાદીના 75 માં વર્ષનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે. સાથે જ સ્વતંત્ર સેનાની અલ્લુરી સીતારામ રાજૂની 125 મી જયંતીનો અવસર પણ છે. સંજોગોથી આજના દિવસે જ આઝાદી માટે રમ્પા ક્રાંતિને 100 વર્ષ પણ પૂર્ણ થયા છે. હું આંધ્રની આ ધરતીની મહાન આદિવાસી પરંપરાને અને આ પરંપરાથી જન્મેલ દરેક મહાન ક્રાંતિકારીઓ અને બલિદાનીઓને આદર પૂર્વક નમન કરું છું. સ્વતંત્ર સેનાની અલ્લુરી સીતારામ રાજૂની 125 મી જયંતી અને આઝાદી માટે રમ્પા ક્રાંતિને 100મી વર્ષગાંઠને આખું વર્ષ સેલિબ્રેટ કરવામાં આવશે.
આપણા સ્વતંત્રતાના આંદોલનનો ઇતિહાસ આપણી વિવિધતાની શક્તિ, આપણી સાંસ્કૃતિક શક્તિ અને એક રાષ્ટ્રના સ્વરૂપમાં આપણી એકજુટતાનું પ્રતિક છે.
સ્વતંત્ર સેનાની અલ્લુરી સીતારામ રાજૂ ગારું ભારતની સાંસ્કૃતિક અને આદિવાસીની ઓળખાણ, ભારતના શૌર્ય, આદર્શો અને મૂલ્યોનું પ્રતિક છે. સીતારામ રાજૂ ગારુંના જન્મથી લઈને બલિદાન સુધી એમના જીવનની યાત્રા આપણા બધા માટે પ્રેરણાદાયી છે.
એમને પોતાનું જીવન આદિવાસી સમાજના અધિકારો માટે, એમના સુખ દુખ માટે અને દેશની આઝાદી માટે અર્પિત કરી દીધા હતા. ભારતના અધ્યાત્મક સીતારામ રાજૂ ગારુંને કરુણા અને સત્યનું બોધ આપવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ માટે સમભાવ અને મમભાવ આઆપ્યું, સાથે જ ત્યાગ અને સાહસ પણ આપ્યા હતા.
સ્વતંત્રતા આંદોલનમાં દેશની આઝાદી માટે યુવાને આગળ લાવીને એમનું નેતૃત્વ કર્યું હતું. આજે નવા ભારતના સપનાઓને પૂરા કરવા માટે અને યુવાઓને આગળ લાવવા માટે સૌથી ઉતમ અવસર છે.
આંધ્રપ્રદેશ વીરો અને દેશભક્તોની ધરતી છે. અંહિયા પિંગલી વેંકૈયા જેવા નાયક જન્મ્યા છે જેમણે દેશનો ઝંડો તૈયાર કર્યો છે.
આ કન્નેગંતી હનુમંત, કન્દુરી પંતુલ અને પોટ્ટી શ્રીરામુલું જેવા નાયકોની ધરતી છે. આજે અમૃતકાળમાં અવ સેનાનીઓના સપનાને પૂરા કરવાની જવાબદારી આપણા દરેક દેશવાસીઓની છે.
यही संस्कार है और यही हमारी संस्कृति।
प्रधानमंत्री श्री @narendramodi ने आज आंध्र प्रदेश के भीमावरम में प्रसिद्ध स्वतंत्रता सेनानी पसाला कृष्णमूर्ति की 90 वर्षीय बेटी पसाला कृष्ण भारती जी के पैर छूकर आशीर्वाद लिया। pic.twitter.com/guGkWKzie1
આપણું નવું ભારત સપનાંનું ભારત હોવું જોઈએ. એક એવું ભારત જેમાં ગરીબ, ખેડૂત, મજદૂર, આદિવાસી બધાને એક સરખો આગળ વધવાનો અવસર મળવો જોઈએ. અમે સ્વતંત્ર સેનાની અલ્લુરી અને બીજા સ્વતંત્ર સેનાની આદર્શો પર ચાલીને આદિવાસી બાહી બહેનો માટે અને તેમના કલ્યાણ અને વિકાસ માટે દિવસ રાત કં કરી રહ્યા છીએ.
આંધ્ર પ્રદેશના લંબસિંગિમાં સ્વતંત્ર સેનાની અલ્લુરી સીતારામ રાજૂ મેમોરિયલ જનજાતીય સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય પણ બનાવવામાં આવશે.
RRR ફિલ્મ સ્વતંત્ર સેનાની અલ્લુરી સીતારામ રાજૂ ગારું અને કોમરામ ભીમના જીવનને ધ્યાનમાં રાખીને બની છે. આ ફિલ્મમાં અલ્લુરી સીતારામ રાજૂનો રોલ રામ ચરણ અને કોમરામ ભીમનો રોલ જુનિયર એનટીઆર દ્વારા નિભાવવામાં આવ્યો હતો. આ ફિલ્મે બોક્સઓફીસ પર ઘણી સારી કમાણી કરી છે. ભલે ઇતિહાસના પન્નામાં આ બંનેનો આટલો ઉલ્લેખ નથી પણ આ બંને સ્વતંત્ર સેનાનીઓએ આઝાદીની લડાઈમાં ઘણો મહત્વનો ફાળો આપ્યો હતો.