રાહુલ ગાંધીનો સૂરત કોર્ટે માનહાનિનાં મામલામાં 2 વર્ષની સજા સંભળાવી છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે શું 2024 અને 2029માં પણ રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડી શકે?
રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ
શું 2024 અને 2029ની ચૂંટણી નહીં લડી શકે રાહુલ?
શું કહે છે કાયદો અને શું છે વિકલ્પ?
કોંગ્રેસ નેતા અને કેરળનાં વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા શુક્રવારે રદ કરવામાં આવી છે. લોકસભા સચિવાલય તરફથી આ વિષે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. સદસ્યતા રદ થયાં બાદ હવે રાહુલ ગાંધી પાસે ક્યાં ક્યાં વિકલ્પ બચે છે તે જાણીએ.
લોકસભા સચિવાયલે શું કહ્યું?
લોકસભા સચિવાલયની તરફથી 7 લાઈનમાં એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સૂરતનાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટ તરફથી દોષી કરાર થયા બાદ કેરળનાં વાયનાડથી લોકસભા સદસ્ય રાહુલ ગાંધીને લોકસભાની સદસ્યતાથી અયોગ્ય કરવામાં આવે છે. આ અયોગ્યતા તેમના દોષી સાબિત થયાનાં દિવસથી એટલે કે 23 માર્ચ 2023થી લાગૂ રહેશે. આ નિર્ણય બંધારણનાં અનુચ્છેદ 102(1) અનુસાર અને જનપ્રતિનિધિત્વ કાયદો 1951ની કલમ 8 અંતર્ગત લેવામાં આવ્યો છે.
શું કહે છે નિયમો?
2013માં સુપ્રીમ કોર્ટે લોક-પ્રતિનિધિ અધિનિયમ 1951ને લઈને નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે આ અધિનિયમની કલમ 8(4)ને ગેરબંધારણીય કરાર કરી હતી. આ કલમ અનુસાર ગુનાહિત મામલામાં 2 વર્ષ કે તેથી વધારે સજાનાં પ્રાવધાનવાળી ધારાઓ અંતર્ગત કોઈ પ્રખ્યાત પ્રતિનિધિને તે દોષીત કરાર રૂપે અયોગ્ય ન ઠેરવી શકાય જો તેના તરફથી ઉપરી કોર્ટમાં અપીલ કરવામાં આવી હોય. એટલે કે કલમ 8(4) દોષીત સાંસદ, વિધાયકને કોર્ટનાં નિર્ણયનાં વિરોધમાં અપીલ લંબિત થઈ હોય તો પણ પદ સંભાળવાની છૂટ આપે છે.
રાહુલ ગાંધી માટે હવે આગળ શું?
સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ કોઈપણ કોર્ટમાં દોષીત જાહેર કર્યા બાદ નેતાની વિધાયકી સાંસદી રદ થઈ જાય છે. તેની સાથે જ તે આવતાં 6 વર્ષો સુધી ચૂંટણી લડી શકતાં નથી. રાહુલનું સાંસદ પદ રદ થયું છે. જો તેને કોર્ટથી રાહત ન મળી તો રાહુલ 2024 અને 2029ની લોકસભા ચૂંટણી પણ લડી શકશે નહીં.
રાહુલ ગાંધી પાસે શું વિકલ્પો રહ્યાં?
રાહુલ ગાંધીની સજાનાં વિરોધમાં અપીલ કરવા માટે સૂરત કોર્ટે 30 દિવસનો સમય આપ્યો છે. રાહુલ ગાંધી સજાનાં વિરોધમાં કોર્ટમાં જશે. કોર્ટ જો સૂરતની કોર્ટનાં નિર્ણય પર રોક લગાવે છે તો તેને રાહત મળી શકે છે.
જો રાહુલ લક્ષ્યદ્વીપનાં સાંસદ મહોમ્મ્દ ફૈઝલનાં મામલાની જેમ રાહતની પણ આશા રાખી શકે છે. ફૈઝલને એક મામલામાં 10 વર્ષની સજા સંભળાવામાં આવી હતી. તેમની સીટ પર પેટાચૂંટણીનું એલાન પણ થઈ ગયું હતું. જો કે હાઈકોર્ટે ચૂંટણી પર રોક લગાવી હતી.
રાહુલ ગાંધી તેમને અયોગ્ય કરાર કરનારા લોકસભા મહાસચિવાલયનાં નિર્ણયનાં વિરોધમાં પણ કોર્ટમાં જઈ શકે છે.