પૂર્વ સીએમ અમરિન્દરે તેમની ભાવી કારકિર્દીને લઈને એક મોટું નિવેદન આપતા પોતે ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે પણ ફોડ પાડ્યો છે.
ભાવી કારકિર્દીને લઈને અમરિન્દરનું મોટું નિવેદન
રાજીનામું આપ્યા બાદ અમરિન્દર પાસે ફક્ત 2 વિકલ્પો
કોંગ્રેસ છોડી જવાના કિસ્સામાં બે વિકલ્પો
રાજનીતિમાંથી સંન્યાસ લે અથવા ભાજપમાં જોડાઈ શકે
અમરિન્દરે કહ્યું કે હું એવું ન કહી શકું કે કોંગ્રેસમાં રહેવું મુશ્કેલ છે કે નહીં. ભાજપ સાથેની નિકટતા અને અલગ પાર્ટી બનાવવાના સવાલ પર તેમણે કહ્યું કે હજુ હમણા જ રાજીનામું આપ્યું છે, મારે થોડો સમય જોઈએ. હું ફક્ત એટલું કહી શકું કે રાજનીતિમાં હમેશા વિકલ્પ હોય છે. હું મારા સાથીઓ સાથે વાત કરીશ અને ત્યાર બાદ આગળનો નિર્ણય લઈશ.
કોંગ્રેસ છોડ્યા બાદ અમરિન્દર શું કરી શકે
કોંગ્રેસ છોડ્યા બાદ અમરિન્દર પાસે બે વિકલ્પો છે.
(1) રાજનીતિમાં સંન્યાસ લઈ લે
(3) ભાજપમાં સામેલ થઈ શકે.
ઉલ્લેખનીય છે કે 2017 ની વિધાનસભાની ચૂંટણી પહેલા પંજાબ કોંગ્રેસમાં અવગણના થતા સિદ્ધુએ ભાજપમાં સામેલ થવાનું નક્કી કર્યું છે. અમરિન્દર અને પીએમ મોદી વચ્ચેના સંબંધો પણ જાણીતા છે. તેથી હવે એવી ચર્ચા ચાલી છે કે ભાજપના વરિષ્ઠ નેતાઓએ કેપ્ટનનો સંપર્ક સાધ્યો છે.
નવજોતસિંહ સિદ્ધુને લપેટામાં લેતા અમરિન્દર સિંહે કહ્યું કે મારા દેશની ખાતર પંજાબના સીએમ તરીકે નવજોત સિંહ સિદ્ધૂનો વિરોધ કરીશ. આ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે. હું જાણું છું કે નવજોત સિંઘ સિદ્ધુના પાકિસ્તાન સાથે કેવા સંબંધ છે, તેનો મિત્ર ત્યાં PM છે અને સિદ્ધુ પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર બાજવા સાથે પણ ઘરોબો ધરાવે છે.
સિદ્ધુ નકામો માણસ, એક વિભાગ ન સંભાળી શક્યો, રાજ્ય કેવી રીતે સંભાળશે-અમરિન્દર
અમરિન્દરે કહ્યું કે સિદ્ધુ નકામો માણસ છે. તે દેશ માટે એક આફત બનશે. મેં સિદ્ધુને જે એક મંત્રાલય સોંપ્યું તે પણ તે સંભાળી શક્યો નથી તો પછી તે રાજ્ય કેવી રીતે ચલાવશે.