બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:11 PM, 23 July 2024
Banned on Sixes: ક્રિકેટની રમતમાં ચાહકો અને ટીમ બંનેને ચોગ્ગા અને છગ્ગાની જરૂર હોય છે. ચાહકો વિસ્ફોટક ઇનિંગ્સનો આનંદ માણે છે, જ્યારે બેટ્સમેનો તેમની આક્રમકતા બતાવીને લાઇમલાઇટમાં આવે છે. સિક્સરનો સંબંધ હંમેશા ક્રિકેટ સાથે જોડાયેલો રહેશે, પરંતુ ઇગ્લેન્ડ ક્રિકેટ ક્લબે આ નાતાને તોડી નાખ્યો છે. ત્યાં સિક્સર વાગે તો બેટ્સમેનને તેની વિકેટ ગુમાવવી પડી શકે છે.
ADVERTISEMENT
ક્રિકેટની રમતમાં ચાહકો અને ટીમ બંનેને ચોગ્ગા અને છગ્ગાની જરૂર હોય છે. ચાહકો વિસ્ફોટક ઇનિંગ્સનો આનંદ માણે છે, સિક્સરનો સંબંધ હંમેશા ક્રિકેટ સાથે જોડાયેલો રહેશે, પરંતુ ઇગ્લેન્ડ ક્રિકેટ ક્લબે આ સંબંધ તોડી નાખ્યો છે. ત્યાં સિક્સર વાગે તો બેટ્સમેનને તેની વિકેટ ગુમાવવી પડી શકે છે. ઈંગ્લેન્ડ સ્થિત સાઉથવિક અને શોરહેમ ક્રિકેટ ક્લબે ખેલાડીઓ વિરુદ્ધ આ વિચિત્ર કાર્યવાહી કરી છે.
ADVERTISEMENT
કારણ શું છે?
સિક્સર પર પ્રતિબંધ મૂકવાનો વિચાર એકદામ અજીબ લાગી રહ્યો છે. પરંતુ તેની પાછળનું કારણ વધુ રસપ્રદ છે. કારણ જાણીને દરેક વ્યક્તિ કહી શકે છે કે ક્લબ માટે આ નિર્ણય સરળ નહીં હોય. ક્લબે આ નિર્ણય લીધો કારણ કે મેદાનની નજીક રહેતા લોકોએ તેમની મિલકતને નુકસાન થતુ હોવાનું કહીને ફરિયાદ નોંધાવી હતી. આટલું જ નહીં, મેચ જોવા આવતા લોકોને ઈજાઓ અને વાહન તૂટી જવાના કિસ્સાઓ સતત વધી રહ્યા હતા. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ક્લબ દ્વારા આ નિયમ બનાવવામાં આવ્યો હતો.
પ્રથમ છક્કા પર મળશે ચેતવણી
આ નિયમમાં એવી જોગવાઈ છે કે બેટ્સમેન સિક્સર ફટકારે તો તેને આઉટ જાહેર કરવામાં આવશે. જો કે આમાં એક જ છૂટછાટ છે કે બેટ્સમેન પ્રથમ છગ્ગો ફટકારે તો તેને ચેતવણી આપવામાં આવશે. પરંતુ ચેતવણી મળ્યા બાદ પણ સિક્સર ફટકારવામાં આવશે તો તેને આઉટ આપવામાં આવશે. પ્રથમ છક્કાની ચેતવણીમાં ટીમને 6 રન પણ આપવામાં આવશે નહીં. સાઉથવિક અને શોરહેમ ક્રિકેટ ક્લબના કોષાધ્યક્ષ માર્ક બ્રોક્સઅપે આ બાબતે સંપૂર્ણ માહિતી આપી હતી. તેમના મતે આ નિયમ વીમાના દાવા અને કાયદાકીય કાર્યવાહીને કારણે થતા ખર્ચને ટાળવા માટે બનાવવામાં આવ્યો છે.
ખજાનચીએ શું કહ્યું?
આ નિયમ અંગે ખજાનચીએ કહ્યું, 'જૂના સમયમાં ક્રિકેટ શાંત વાતાવરણમાં રમાતી હતી. પરંતુ ટી-20 અને લિમિટેડ ઓવરના ક્રિકેટના આગમન પછી આ રમતમાં વધુ આક્રમકતા દેખાવા લાગી છે, હકીકતમાં સ્ટેડિયમની નજીક રહેતા એક 80 વર્ષના વ્યક્તિએ કહ્યું કે આજકાલ ખેલાડીઓમાં જોશ એટલો આવ્યો છે કે છગ્ગા લગાવવા માટે સ્ટેડિયમ નાનુ પડી રહ્યુ છે. જો કે આ નિયમ બાદ ઘણા ખેલાડીઓ વિરોધ પણ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.