થરાદના પીરગઢ અને મહેસાણાના કડીના કરશનપુરા ગામે કેનાલમાં ગાબડું પડ્યું હતું. ત્યારે ગાબડું પડવાના કારણે ખેતરમાં વાવેતર કરેલ પાકને નુકશાન થવા પામ્યું હતું.
થરાદના પીરગઢ ગામ નજીક કેનાલમા ગાબડું
ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પડ્યું 10 ફુટ નું ગાબડું
મહેસાણામાં નર્મદાની કેનાલમાં વધુ એક ગાબડું
થરાદના પીરગઢ ગામ નજીક ડીસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. જેમાં ડીસ્ટ્રીબ્યુટર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. કેનાલ નજીક આવેલ ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરમાં વાવેતર કરેલ પાકમાં ફરી વળતા ખેડૂતોને નુકશાનનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
કડીના કરસનપુરા ગામે અગોલ તરફ જતી કેનાલમાં ગાબડું
ત્યારે થરાદ બાદ મહેસાણાનાં કડી પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડવાની ઘટના બનવા પામી હતી. ત્યારે કડીના કરશનપુરાથી અગોલા તરફ જતી કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરમાં ફરી વળ્યા હતા. ત્યારે 10 ફૂટના ગાબડાના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. નર્મદાની કાચી કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડવા પામ્યું હતું. ત્યારે ગાબડું મોટું હોવાના કારણે 50 વીધા જેટલા ખેતરનું પાણી ભરાઈ ગયું હતું. ત્યારે ગાબડું પડવા છતા અધિકારીઓ જોવા પણ આવ્યા ન હતા. ત્યારે તંત્ર મદદે ન આવતા ખેડૂતોએ જાતે ગાબડું પુરવાની કામગીરીમાં જોતરાયા હતા.
ક્યા ક્યા પાકમાં નુકશાન થવા પામ્યું
ત્યારે અચાનક પડેલ ગાબડાના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ પાકમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ પાકમાં નુકશાન થવા પામ્યું હતું. કેનાલમાં ગાબડું પડવાના કારણે જીરો, રાયડો તેમજ એરંડા સહિતના પાકોને નુકશાન થવા પામ્યું હતું.