જૂનાગઢ મહાનગરપાલિકા માટે 21મી જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. ત્યારે VTVએ સ્થાનિક મતદાતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં શહેરના કેટલાક વોર્ડમાં વિકાસના કાર્યો થયા છે. તો કેટલાક વોર્ડમાં માત્ર વાતો જ થઈ છે. અને કાર્યો માત્ર કાગળ પર જ થયા છે. શાસક પક્ષે 500 કરોડના કાર્યો કર્યા હોવાનો દાવો કર્યો છે. ત્યારે જનતા આ દાવાને ફગાવી રહી છે. અને જૂનાગઢ શહેરમાં માર્ગ, પાણી અને ગટર વ્યવસ્થા માટે કોઈ જ કાર્યો ન થયા હોવાનો આક્ષેપ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ શાસિત વોર્ડમાં વિકાસના કાર્યો થયા હોવાનો મતદાતાઓ દાવો કરી રહ્યા છે. અને કોંગ્રેસને જ મત આપવાનું મન બનાવી ચૂક્યા છે.