મહામંથન / રોજગારીના ઓછા થતા વિકલ્પનો ઉપાય શું ?

કોરોના મહામારી રોકાવાનું નામ નથી લઈ રહી. કોઈ એક શહેરમાં કેસ ઓછા થાય ત્યાં બીજુ શહેર સંક્રમણ વધારવા જાણે કે તૈયાર જ છે. રાજ્યના મહાનગરોમાં કોરોના સંક્રમણ અટકી નથી રહ્યું. સમગ્ર દુનિયાની દ્રષ્ટિએ ભારતમાં કે ગુજરાતમાં કોરોનાનો ચિતાર સારો હોય શકે પરંતુ ચિંતાજનક તો છે જ. કોરોનાને કારણે લોકોએ ઘણું ગુમાવ્યુ જેમા રોજગારીને પણ અવગણી ન શકાય. સવાલ એ છે કે આખરે રોજગારીના વિકલ્પ કઈ રીતે વધારવા અને એ પણ આવી મહામારીના સમયે. ફરી એકવાર રાજ્ય કે દેશ આંશિક લોકડાઉન તરફ જશે કે નહીં, આ જ વિષય પર છે આજનું મહામંથન

બ્રેકિંગ ન્યૂઝ