ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે કર્ફ્યૂ વચ્ચે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી લેવાયો છે.
ભગવાન જગન્નાથની મંગળા આરતી
આરતી વિના ભગવાનની ભક્તિ અધૂરી
સનાતન ધર્મમાં આરતીનું અનેરું મહત્વ
શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ રહી છે. ત્યારે અમે આપને જણાવીશું કે આ રથયાત્રામાં મંગળા આરતીનું શું મહત્વ છે.
આરતી એ પરમાત્મામાં લીન થવાનું માધ્યમ
ભગવાન જગન્નાથની મંગળા આરતીનું વિશેષ મહાત્મય છે. આપણા સનાતન ધર્મમાં આરતીનું ખાસ મહત્વ રહ્યું છે છે કારણ કે આરતી વિના ભગવાનની ભક્તિ અધૂરી છે. આરતી એ પરમાત્મામાં લીન થવાનું માધ્યમ છે.
તન અને મનને શાંતિ આપે છે મંગળા આરતી
સ્કંદપુરાણમાં આરતીનું અનેરું મહાત્મય આલેખવામાં આવ્યું છે. તો આરતીને નીરાજન તરીકે પણ ઓળખવામાં આવે છે. નીરાજન એટલે વિશેષ રૂપથી પ્રકાશિત થવું. આમ મંગળા આરતીથી મન હળવું થાય છે. મંગળા આરતી વ્યક્તિત્વને ઉજ્જવળ કરે છે.