કોરોનાની બીજી લહેરથી બધા જ લોકો પરેશાન છે ત્યારે એક પ્રશ્ન તે પણ સામે આવે છે કે ગર્ભમાં રહેલા બાળકને કોરોના થઇ શકે છે?
ગર્ભસ્થ શિશુને કોરોનાનો કેટલો ખતરો?
ગર્ભવતી મહિલાઓને હંમેશા રાખવુ ધ્યાન
સંક્રમણ થાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો
મહત્વનું છે કે ગર્ભમાં રહેલ બાળકને માતા દ્વારા કોરોના થવાની સંભાવના રહે છે. બીબીસીમાં છપાયેલ એક રિપોર્ટ અનુસાર કેટલા ટકા ખતરો રહે છે તે જાણી શકાયુ નથી પરંતુ માતા દ્વારા ગર્ભમાં રહેલા બાળકને ખતરો રહે છે તે વાત સત્ય છે.
ગર્ભવતી મહિલાને વધુ ખતરો?
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર પ્રેગનેન્સી દરમિયાન પ્રેગનેન્ટ મહિલાની ઇમ્યૂનિટી ઓછી હોય છે. જેના કારણે તેને ઇન્ફેક્શનનો ખતરો વધારે હોય છે. આટલુ જ નહી કોરોના વાયરસના આ કહેરમાં પ્રી મેચ્યોર ડિલીવરીના કેસ પણ વધી રહ્યા છે પરંતુ તે હજુ સંપૂર્ણ રીતે સાબિત નથી થઇ શક્યું. તેને લઇને રિચર્સ ચાલુ છે.
વાયરસથી સંક્રમિત પ્રેગનેન્ટ મહિલાથી આ ઇન્ફેક્શન દ્વારા તેના ગર્ભસ્થ શિશુ સુધી પહોંચે તે જરૂરી નથી પરંતુ ઘણીવાર એવુ થાય છે કે જો કોઇ મહિલાને મેલેરિયા છે તો તે ગર્ભસ્થ શિશુ સુધી પહોંચી જાય છે. બીજી તરફ એવુ પણ થાય છે કે એચઆઇવી જેવી સ્થિતિમાં માતાથી બાળક સુધી આ બિમારી ફેલાવવાની શક્યતા નહીવત હોય છે. તો ઘણી વાર જન્મ લીધા બાદ જ્યારે બાળક માતા પાસે રહે છે તો તે દરમિયાન કેટલાક વાયરસ તેને સંક્રમિત કરી દે છે. તેના પર પણ એક અલગ સ્ટડી કરવામાં આવી રહી છે.
પ્રેગનેન્ટ મહિલાને ક્યા સ્તર સુધી સંક્રમણ થઇ શકે છે
પ્રેગનેન્ટ મહિલાઓમાં કોરોના વાયરસ ઇન્ફેક્શનના કેસમાં 28 અઠવાડીયા બાદ ઇન્ફેક્શન જલ્દી લાગે છે. માટે સાવધાની રાખવાની ખુબ જરૂર છે. ખાસકરીને પ્રેગન્સીના સમયમાં હાર્ટ સંબંધીત તકલીફો હોય તે મહિલાઓને સાચવવુ જરૂરી બને છે.
ગર્ભવતી મહિલાઓને કેવી રીતે કરશો બચાવ
ગર્ભાવસ્થા દરમિયાન, માતા અને તેના ગર્ભને કોરોના વાયરસથી બચાવવા માટે તમામ સાવચેતી રાખવી જરૂરી છે. જેમકે તમારા હાથ થોડા થોડા સમયે ધોઈ નાખો, માસ્ક લગાવેલું રાખો અને લોકોથી અંતર રાખો. તંદુરસ્ત આહાર લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. જો ઘરના કોઈપણ સભ્યમાં લક્ષણો દેખાય છે, તો પછી તેમનાથી અંતર પણ રાખવું જોઈએ. કોરોના રસી લો.