જો પત્ની અલગ થઈ જાય છે અથવા તો પતિ તરછોડે છે, તો તે પોતાના પતિના ભાગમાંથી પોતાનો અલગ ભાગ માંગી શકે છે. તેના નામમાં રહેલા 50 ટકા સિવાય તેના પર દાવો કરી શકાય છે. આ સાથે મહિલા પાસે છૂટાછેડા ન થાય ત્યાં સુધી મિલકતમાં રહેવાનો અધિકાર પણ રહેશે.
મિલકત પતિના નામે હોય તો પણ પત્ની પોતાના હિસ્સાનો દાવો કરી શકે
છૂટાછેડામાં તે પોતાનો ભાગ માત્ર ભરણપોષણ તરીકે માંગી શકે
મહિલા પાસે છૂટાછેડા ન થાય ત્યાં સુધી મિલકતમાં રહેવાનો અધિકાર
જો તમે એક મહિલા છો અને તમારા પતિ સાથે તમારા સંબંધો તૂટી જાય છે તો તમને એ વાતની ખબર હોવી જોઈએ કે તમે શું દાવો કરી શકો છો. તમારે તમારા અધિકારો વિશે જાણકારી હોવી જોઈએ, જેનાથી તમારા સંબંધ તૂટ્યા પછી તમારે આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આવો જાણીએ કે સંબંધ તૂટી ગયા બાદ મહિલાઓ શું દાવો કરી શકે છે.
જો મિલકત પતિ અને પત્ની સાથે મળીને ખરીદી હોય
જો પત્ની અલગ થઈ જાય છે અથવા તો પતિ તરછોડે છે, તો તે પોતાના પતિના ભાગમાંથી પોતાનો અલગ ભાગ માંગી શકે છે. તેના નામમાં રહેલા 50 ટકા સિવાય તેના પર દાવો કરી શકાય છે. આ સાથે મહિલા પાસે છૂટાછેડા ન થાય ત્યાં સુધી મિલકતમાં રહેવાનો અધિકાર પણ રહેશે.
જો મિલકત પતિના નામ પર છે અને તેણે જ ખરીદી હોય
જો મિલકત પતિના નામે હોય તો પણ પત્ની પોતાના હિસ્સાનો દાવો કરી શકે છે કારણ કે તે ક્લાસ 1 કાનૂની વારસદાર છે. છૂટાછેડામાં તે પોતાનો ભાગ માત્ર ભરણપોષણ તરીકે માંગી શકે છે.
જો મિલ્કત પતિના નામ પર છે, પરંતુ પત્નીને પૈસા આપ્યા છે
પતિ દાવો કરી શકે છે, જ્યાં સુધી પત્ની મિલકત ખરીદી હોવાનો દાવો સાબિત ન કરે. જો તે આમ કરે છે તો તે મિલકતમાં તેના હિસ્સાનો દાવો કરી શકે છે.
જો મિલકત પત્નીના નામે છે અને પતિએ પૈસા આપ્યા હોય
જ્યાં સુધી પતિ પોતાનું યોગદાન સાબિત ન કરે ત્યાં સુધી પત્ની સંપૂર્ણરીતે માલિક રહેશે. જો તે સાબિત કરે છે તો પત્ની છૂટાછેડામાં ભરણપોષણ હેઠળ જ તેનો દાવો કરી શકે છે. જો પત્નીને છોડવામાં આવી રહી છે, તો તે ક્લાસ 1 કાનૂની વારસદાર હોવાને કારણે તેના પર હિસ્સેદારીનો દાવો કરી શકે છે.
જો મિલકત પત્નીના નામ પર છે અને તેણે જ પૈસા આપ્યા હોય
કોઈપણ મિલ્કત જેને મહિલાએ પોતાના પૈસાથી ખરીદેલી હોય. પછી ભલે તે લગ્ન પહેલા હોય કે પછી તે તેની જ રહેશે. તે તેને વેચી શકે છે, તેને પોતાની પાસે રાખી શકે છે અથવા તે જેને ઈચ્છે તેને ભેટ આપી શકે છે. તેનો નિર્ણય માત્ર તેનો હશે.