દિનેશ શર્માને સરસપુરથી ટિકિટ આપવા હિંમતસિંહ રાજી ન હોવાની ચર્ચા છે. શશીકાંત પટેલ અને દિનેશ શર્મા પણ સમર્થકો માટે ટિકિટ માગી રહ્યા છે.
અમદાવાદ કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે ફરી જામી ખેંચતાણ
હિમ્મતસિંહ પટેલ અને દિનેશ શર્મા વચ્ચે ખેંચતાણ
મનપાની ટિકિટને લઈને બંને વચ્ચે થયો ખટરાગ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ એક પછી એક જિલ્લામાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. ત્યારે બીજી તરફ અમદાવાદ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહ્યું છે. હિંમતસિંહ પટેલ અને દિનેશ શર્મા વચ્ચે ખેંચતાણ ચાલી રહી હોય તેવી ચર્ચા છે. મનપાની ટિકિટને લઈને બંને વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. અમદાવાદ મનપામાં પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ સરસપુરથી ટિકિટ માગી છે. ત્યારે દિનેશ શર્માને સરસપુરથી ટિકિટ આપવા હિંમતસિંહ રાજી ન હોવાની ચર્ચા છે.
અગાઉ શર્માએ ચાંદખેડાથી લડવાની તૈયારી દર્શાવી હતી. જે બાદ પોતાની ઈચ્છા બદલી છે. તો બીજી તરફ નેતાઓના આંતરિક વિવાદને લઇ નામો જાહેર થતા નથી. તો સામે ભાજપ પોતાના મોટા ભાગના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. MLA લાખા ભરવાડ અને હિમ્મતસિંહ જીદ કરી રહ્યા છે. સાથે ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, શૈલેષ પરમારની પણ જીદ હોય તેવી ચર્ચા છે. પોતાના માણસોને ટિકિટ અપાવવા માટે નેતાઓ જીદ કરી રહ્યા છે. શશીકાંત પટેલ અને દિનેશ શર્મા પણ સમર્થકો માટે ટિકિટ માગી રહ્યા છે.