ભારતનાં કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. મહેન્દ્ર સિંહ હવે બ્લુ ટીશર્ટમાં રમતા નહીં દેખાય, જોકે આઈપીએલમાં તે રમવાના છે પણ માનવામાં આવી રહ્યું છે કે ધોનીએ રીટાયર્ડ જીવન માટે પ્લાન બનાવી લીધો છે.
ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી
ફર્ટીલાઈઝર બ્રાન્ડ બજારમાં ઉતારીને ખેડૂતો સુધી પહોંચશે ધોની ?
મફત શિક્ષણ આપવા માટે બનાવશે સ્કૂલ
દેશનાં સૌથી સફળ કેપ્ટન ગણાતા ભારતનાં લોકપ્રિય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ધોની ભલે બ્લુ ટીશર્ટમાં મેદાન પર નહી દેખાય પરંતુ રાહતની વાત એ છે કે આઈપીએલમાં તે રમવાના છે. ધોનીની જાહેરાત બધા જાણવા માંગે છે કે ધોની હવે શું કરશે ? એક અહેવાલ અનુસાર ધોની આવનાર પેઢી માટે નવા ક્રિકેટર બનાવશે અને દેશનાં ખેડૂતોને પણ મદદ કરવા માટે આગળ આવી શકે છે.
ક્રિકેટમાંથી સંન્યાસ બાદ પણ ક્રિકેટથી ધોની દૂર જશે નહીં. આ વર્ષે IPL થવાની છે જેમાં માહી ચેન્નઈની ટીમથી રમશે. પરંતુ સવાલ ઉઠી રહ્યા છે કે બાકી સમય ધોની શું કરશે ? તો મહેન્દ્ર સિંહ ખેતી ક્ષેત્રમાં ઝંપલાવી શકે છે. અહેવાલ અનુસાર ધોની 'નિયો ગ્લોબલ ફર્ટીલાઈઝર'નું એક નવું બ્રાન્ડ બજારમાં લાવવા જઈ રહ્યા છે. તેના માટે ધોની કેટલાય રાજ્યો સાથે ચર્ચા પણ કરી રહ્યા છે. આ બ્રાન્ડની મદદથી દરેક ખેડૂત સુધી ખેતીથી જોડાયેલા ઉપકરણો અને ઉત્પાદનોને પહોંચાડવામાં આવશે.
આ સાથે જ એમ એસ ધોની એક ગ્લોબલ સ્કૂલ પણ બનાવી રહ્યા છે. આ સ્કૂલમાં માધ્યમથી દેશનાં કેટલાય વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાની યોજના છે. આ શાળા પર હાલ કામ ચાલી રહ્યું છે. આટલું જ નહીં ધોનીએ સંન્યાસ બાદ બીજો પણ પ્લાન બનાવ્યો છે. ધોની ક્રિકેટને વધારવા અને ભવિષ્યમાં નવી પ્રતિભાઓને તક આપવા માટે ધોની અલગ અલગ શહેરોમાં એકેડેમી ચલાવી રહ્યા છે. આ એકેડેમીના માધ્યમથી તે મોટા ખેલાડીઓને ટીમ ઇન્ડિયા સુધી પહોંચવામાં મદદ કરશે.