શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ સનાતન ધર્મ અપનાવી લીધો છે. તે સાથે જ તેમનું નામ પણ બદલાઇ ગયું છે.
વસીમ રિઝવીએ અપનાવ્યો હિન્દુ ધર્મ
વસીમ રિઝવીનું નવું નામ શું છે?
વિધિ વિધાનથી અપનાવ્યો હિન્દુ ધર્મ
ઇસ્લામ છોડીને બન્યા હિન્દુ
વસીમ રિઝવી આજે ઇસ્લામ ધર્મ છોડીને હિન્દુ બની ગયા છે અને તેમણે કહ્યું કે, ધર્મ પરિવર્તનની અહીં કોઇ વાત જ નછી. જ્યારે મને ઇસ્લામમાંથી કાઢી મૂકવામાં આવ્યો ત્યારે હવે મારી મરજી છે કે હું કયો ધર્મ સ્વિકાર કરું છું. સનાતન ધર્મ જ દુનિયાનો સૌથી પહેલો ધર્મ છે. ઇસ્લામને હું ધર્મ નથી સમજતો.
શું છે વસીમનું નવું નામ?
વસીમ રિઝવીનું નવું નામ જીતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી રાખવામાં આવ્યું છે. જીતેન્દ્રએ કહ્યું કે, દરેક જુમ્માએ અમારુ માથુ કાપવા માટે ફતવો બહાર પાડવામાં આવે છે. તો આવી પરિસ્થિતિમાં અમને કોઇ મુસલમાન કહે તો શરમ આવે છે. મુસલમાન માત્ર હિન્દુત્વને હરાવવા માટે જ વોટ કરે છે.
વિધિ વિધાનથી અપનાવ્યો હિન્દુ ધર્મ
વસીમ રિઝવીએ થોડા દિવસ પહેલા જ એલાન કર્યુ હતુ કે તે હિન્દુ ધર્મ અપનાવશે. આજે તે ડાસના મંદિર પહોંચ્યા હતા અને મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતિએ વસીમ રિઝવીને શાલ ઓઢાડીને સ્વાગત કર્યુ અને તેમનો ધર્મપરિવર્તન કરાવ્યો હતો. જે બાદ તેમનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું.
વસીમ રિઝવીની મરજી
થોડા સમય પહેલા વસીમ રિઝવીએ પણ પોતાની વસિયતમાં લખ્યું હતું કે મૃત્યુ બાદ તેમને દફનાવવાના બદલે હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. જોકે, મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે તેને ઈસ્લામ અને શિયા સાથે કોઈ લેવાદેવા નથી.
કટ્ટરપંથીઓએ વસીમ રિઝવીને આપી ધમકી
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા વસીમ રિઝવીએ એક વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે તેઓને મારવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કટ્ટરવાદીઓ તેની ગરદન કાપવા માંગે છે. તેણે કુરાનની 26 આયતો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, તેથી જ આવું કરવામાં આવી રહ્યું છે. તેમને મારી નાખવાની જાહેરાત કરવામાં આવી છે.