બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / જોવા જેવું / VTV વિશેષ / તમારા કામનું / કલાપીના ગામમાં આવેલી આ વાવ ભૂતે બંધાવી છે! માત્ર એક જ રાતમાં બની છે સાત કોઠાની વાવ

લોકવાયકા / કલાપીના ગામમાં આવેલી આ વાવ ભૂતે બંધાવી છે! માત્ર એક જ રાતમાં બની છે સાત કોઠાની વાવ

Nidhi Panchal

Last Updated: 07:30 PM, 5 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે પણ ક્યારેય તો કોઈ એવા વ્યક્તિને મળ્યા હશો, જે ભૂતને મળ્યો હોય! અથવા તો તમારા ગામમાંય એક એવા દાદા હશે, જેની પાસે ભૂતે બીડી માગી હોય! જો કે, આ તો બધી હસવાની વાતો પણ લગભગ દરેક શહેરમાં ભૂતિયા કહેવાતી જગ્યાઓ હોય જ છે. જેના વિશે લોકો જુદી જુદી વાતો કરતા હોય.

અમે જો કે અંધશ્રદ્ધાને કોઈ પ્રોત્સાહન નથી આપતા, પરંતુ કેટલીકવાર આવી જગ્યાઓ સાથે ઈતિહાસ પણ સંકળાયેલો હોય છે, તો કેટલીક જગ્યાએ પૌરાણિક હોય છે. જેમ કે અમદાવાદનું સિગ્નેચર ફાર્મ કે પછી રાજસ્થાનનો ભાણગઢનો કિલ્લો. આપણા સૌરાષ્ટ્રમાં પણ આવી ઘણી જગ્યાઓ છે, જેમાંથી એક છે અમરેલીની વાવ. આ વાવ એટલા માટે યાદ આવી કે તેનું નામ જ લાલિયા ભૂતની વાવ છે. આમ તો આ વાવની અંદર વેરાઈ માતાજીનું મંદિર પણ છે, જેની બાધા આખડી પણ લોકો રાખે છે, પણ રાત્રે તો અહીં જતા ભલભલાની ફેં ફાટે છે.

vav-5

અમરેલીનું લાઠી ગામ આમ તો કવિ કલાપીજી માટે જાણીતું છે. પરંતુ આ ગામની એક વાવ પણ જાણીતી છે. કહેવાય છે કે આ વાવ લાલિયા નામના ભૂતે બનાવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે આ આખીય વાવ લાલિયા નામના ભૂતે માત્ર એક જ રાતમાં ખોદી નાખી હતી. એટલે જ આ વાવ લાલિયા ભૂતની વાવ તરીકે ઓળખાય છે. 450 કરતા વધુ વર્ષ જૂની આ વાવ નજીક રાત્રે જતા આજે પણ લોકો ડરે છે. સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે એક માન્યતા એવી છે કે રાત્રિના સમયે જો આ વાવમાં કોઈ સ્ત્રી આવે, તો તે ગાયબ થઈ જતા હોય છે.

vav-2

એટલે જ આ વાવ સાંજે 5 વાગે બંધ કરી દેવામાં આવે છે. જો કે, આજ સુધી કોઈ સ્ત્રીને ગાયબ થઈ હોવાનું કોઈએ જોયું નથી. આ વાવની અંદર આજ સુધી કોઈના ડૂબવાની પણ ઘટના નથી બની. દિવસના સમયે તો હજારો લોકો આ વાવની મુલાકાત લેતા હોય છે.

vav4

લાઠીના સ્થાનિકોમાં ચાલતી લોકવાયકા પ્રમાણે લાલિયા નામના ભૂતે 125 ભૂત સાથે રહીને આ આખી વાવ ગાળી હતી. વાવની અંદર લાલિયા ભૂતની મૂર્તિ પણ મોજૂદ છે. આ વાવની મુખ્ય વિશેષતા એ છે કે આ વાવમાં ઉપયોગમાં લેવામાં આવેલા પથ્થરોમાં ક્યાંય પણ સિમેન્ટ, ચૂનો કે અન્ય વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને ડાયરેક્ટ પથ્થરની ગોઠવણી કરવામાં આવી છે.

bhoot-vav

એક લોકવાયકા પ્રમાણે આશરે 450 વર્ષ પહેલાં પીર સાગરશા દ્વારા આ ભૂતને વશમાં કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે લાલિયા ભૂતનો ત્રાસ ખૂબ હતો એટલે પીરે આ ભૂતને વશમાં કર્યું હતું. વશમાં કર્યા બાદ પીરે આદેશ કરતાં એક જ રાતમાં આ વાવને લાલીયા ભૂત દ્વારા બાંધવામાં આવી હતી. જો કે લાલીયા ભૂતને સાગરશા પીરે વશમાં કર્યા બાદ તે લોકોને હેરાન કરવાનું બંધ કરી દીધું હતું.

vav-3

આ વાવમાં આજ દિવસ સુધી ક્યારેય અપમૃત્યુ થયેલ નથી. પહેલાના સમયમાં આ વાવનું પાણી લોકો પીવાના ઉપયોગમાં લેતાં હતાં. જો કે વાવની અંદર વેરાઈ માતાના ગોખલા આવેલા છે જ્યાં લોકો માનતા માને છે. જેમાં જે લોકોને કાનમાં રસી આવતી હોય તેઓ માનતા કરે તો તેમના કાનમાંથી રસી બંધ થઈ જતી હોવાની સ્થાનિકોમાં માન્યતા છે. માનતા માન્યા બાદ જો કામ થઈ જાય તો ત્યાં વેરાઈ માતાના ગોખલામા વાટ ચડાવાની હોય છે. આમ આજે પણ આ વાવની માનતા ઘણા લોકો રાખે છે.

વધુ વાંચો : જાપાનની અનોખી પરંપરા, જ્યાં વાઈન ભરેલા પૂલમાં ધૂબાકા મારે છે પ્રવાસીઓ, જાણો શું છે રેડ વાઈન બાથ?

આ વાવ ભલે ભૂતિયા વાવ તરીકે ઓળખાય, પંરતુ તેની આજુબાજુ ઐતિહાસિક સ્થળ આવેલા છે, તો સાથે જ વાવની બાજુમાં એક પીરની દરગાહ અને રામજી મંદિર તેમજ અન્ય મંદિરો પણ છે. તો લાલિયા ભૂતની વાવ સાત કોઠામાં વહેંચાયેલી છે. કહેવાય છે કે સાતમા કોઠામાં લાલિયા ભૂતની ખાંભી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Laliya Bhootni Vav Amreli Horror Vav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ