મોદી સરકારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) ના અપડેશનને મંજૂરી આપી છે. આ પહેલા 2011ની જનસંખ્યા ગણતરી પહેલા 2010માં એનપીઆરમાં જાણકારીઓ એકઠી કરવામાં આવી હતી. હવે 10 વર્ષ બાદ અને 2021ની જનસંખ્યા ગણતરી પહેલા તેને અપડેટ કરવામાં આવી રહ્યું છે.
મોદી સરકારે NPRના અપડેશનને મંજૂરી આપી છે
વર્ષ 2010માં એનપીઆરમાં જાણકારીઓ માંગવામાં આવી હતી
2021ની જનસંખ્યા ગણતરી પહેલા તેને અપડેટ કરવામાં આવ્યું
સરકારે એનપીઆર અપડેશનને મંજૂરી આપતા પહેલા નાગરિકતા કાયદામાં સંશોધન કર્યું હતું. ત્યારે નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન (NRC)ને લઇને પણ લોકો ગુસ્સામાં છે.
વિપક્ષનો આરોપ છે કે, યૂપીએ સરકાર દરમિયાન જે એનપીઆર (NPR) હતી તે એનડીએ સરકારથી બિલકુલ અલગ હતી. વિપક્ષનું કહેવું છે કે, એનપીઆરમાં કેટલીક એવી જાણકારીઓ લોકોને પૂછવામાં આવશે જે આખા દેશમાં એનઆરસીને (NRC) લાગૂ કરવા માટે ઉપયોગ થશે.
સરકાર હાલ તો વિરોધ પ્રદર્શનને લઇને બેકફૂટ પર
હવે સવાલ એ ઉભો થયો છે કે, યૂપીએના NPR અને એનડીએના NPR એક બીજાથી કેટલુ અલગ છે. નવા અને જુના એનપીઆરને લઇને વિવાદ એ વાતને પર છે કે, સરકાર ઘણા અવસરે કહી ચૂકી છે કે, એનપીઆર (NPR) દ્વારા એનઆરસી (NRC) તરફ પહેલુ પગલુ હશે. જોકે, સરકાર હાલ તો વિરોધ પ્રદર્શનને લઇને બેકફૂટ પર આવી ગઇ છે અને તેનાથી ઇનકાર કરી રહી છે. હવે આ મુદા પર મોદી સરકાર અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ મચ્યું છે.
રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) નો હેતુ
એનપીઆરનો હેતુ દેશના સ્વાભાવિક રહેવાસીઓની સમગ્ર ઓળખનો ડેટાબેઝ તૈયાર કરવાનો છે. તેમા એ તમામ લોકો સામેલ હશે જે ભારતની સીમામાં રહી રહ્યા છે. તેના માટે જનસંખ્યા ગણતરીનું કામ 6 મહીના સુધી ચાલશે. જ્યારે એનઆરસીમાં એ લોકોને સામેલ કરવામાં આવે છે કે, જે દેશના નાગરિક છે. એટલે કે જેમની પાસે દસ્તાવેજ છે અને આ દસ્તાવેજોને આધારે તેમની નાગરિકતા સિદ્ધ થાય છે.
જ્યારે કોઇપણ દેશ અથવા કોઇપણ ક્ષેત્રમાં લોકો વિશેની માહિતી પ્રાપ્ત કરવી અને તેને રેકોર્ડ કરવી જનસંખ્યા ગણતરી કહેવામાં આવે છે. આ એક નિશ્ચિત સમયગાળા અને સરકારના આદેશ હેઠળ કરવામાં આવે છે. ભારતમાં દર 10 વર્ષ બાદ આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે.
નાગરિકોમાં NRC, CAA અને NPRને લઇને અસમંજસની સ્થિતિ
નાગરિકોમાં NRC, CAA અને NPRને લઇને અસમંજસની સ્થિતિ બની છે. મુસ્લિમ સમુદાયને લાગી રહ્યું છે કે, સરકાર એનપીઆર દ્વારા દેશભરમાં એનઆરસી લાગૂ કરી શકે છે. આ ડર એટલા માટે પણ છે કે, કેમકે ભારતમાં રહી રહેલા લાખો લોકોની પાસે યોગ્ય દસ્તાવેજ નથી.
તેનુ એક ઉદાહરણ આસામમાં થયેલી એનઆરસી (NRC) છે. આસામમાં એનઆરસી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે આંકડા આવ્યા છે, તેમા 19 લાખ લોકો બહાર હતા. આ તમામ લોકો પોતાની નાગરિકતા સાબિત કરવા માટે યોગ્ય પૂરાવા આપી શક્યા નહોતા.
એનપીઆર અને એનઆરસી પર વધી રહેલા વિવાદ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, તેમની સરકાર આખા દેશમાં એનઆરસી લાગૂ નહીં કરે. જોકે, ગૃહ મંત્રી અમિત શાહે તેનાથી વિરુદ્ધ નિવેદન આપ્યું છે. એનઆરસીનો હેતુ દેશમાં ગેરકાનૂની રીતે રહી રહેલા બહારના નાગરિકોની ઓળખ કરવાનું છે, ત્યારે NPRનો હેતુ દેશના સ્વાભાવિક રહેવાસીઓની ઓળખ કરવાનું છે.
એનપીઆર (NPR)નો ઉપયોગ નાગરિકોની યોગ્ય ઓળખ અને તેમના સુધી સાચી દિશામાં સરકારના લાભ પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. એનપીઆરમાં લોકોને એક ચિપની સાથે કાર્ડ આપવાની વાત પણ કહેવામાં આવી હતી. પરંતુ યૂપીએના કાર્યકાળ દરમિયાન આધાર કાર્ડ પર ઝડપથી કામ થયું. ત્યારબાદ એનપીઆરને સાઇડલાઇન કરી દેવામાં આવી અને તેનું મહત્વ ઓછુ થઇ ગયું.
2020માં એનપીઆર (NPR) માં આ જાણકારીઓ માંગવામાં આવશે
2020માં એનપીઆર (NPR) માં કેટલીક એવી જાણકારી માંગવામાં આવી છે કે, જે કોંગ્રેસના સમયમાં નહોતી પૂછવામાં આવી. આ એનપીઆરમા નામ, ઉમંર, સેક્સ, પિતાનું નામ, માતાનું નામ, પત્ની /પતિનું નામ, જન્મ તારીખ, લગ્ન સ્થિતિ, રાષ્ટ્રીયતા, સરનામું, પાકુ સરનામું, માતા-પિતા/દાદા-દાદીનો ક્યારે અને ક્યાં જન્મ થયો વગેરે, પૂછવામાં આવશે. આમાંથી ઘણી એવી જાણકારીઓ છે કે, જે યૂપીએના એનપીઆરમાં પૂછવામાં આવી નહોતી.
સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આ મુદ્દા પર રાજકીય ઘમાસાણ મચ્યું છે. જોકે, એનપીઆરનો એનઆરસી સાથે કોઇ સંબંધ નથી. ગૃહ મંત્રી અમિત શાહે આ વાત કહી છે. તેઓએ કહ્યું કે, એનપીઆરના ડેટાનો ઉપયોગ એનઆરસી માટે કરવામાં આવશે નહીં.