તે બેંગલુરુ કમાન્ડ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. ભારતીય વાયુસેનાના અધિકારીએ આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે બેંગલુરુની આર્મી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
બેંગ્લુરૂની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે વરુણ સિંહને ગુરુવારે તમિલનાડુના વેલિંગ્ટનથી બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગ્રૂપ કેપ્ટન સિંઘને ઓગસ્ટમાં શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા, જે તેજસને સફળતાપૂર્વક બચાવવા માટે શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા હતા, જે ફાઇટર જેટ ગયા વર્ષે મોટી ટેકનિકલ ખામીને કારણે સંભવિત ક્રેશમાંથી અથડાયું હતું.
પીએમે વરુણ સિંહનો જીવ બચાવવા માટે માતા પાટેશ્વરીને કરી પ્રાર્થના
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તમિલનાડુના કુન્નૂરમાં એરફોર્સના હેલિકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના સ્વાસ્થ્ય માટે માતા પાટેશ્વરીની પ્રાર્થના કરી હતી. બલરામપુરમાં સરયૂ નહેરના ઉદ્ઘાટન સમારોહ બાદ સભાને સંબોધતા વડાપ્રધાને દેવરિયાના પુત્રને યાદ કર્યા અને કહ્યું કે આખો દેશ તેમના પરિવાર સાથે ઉભો છે.
વરૂણ સિંહનું રહ્યું છે ગુજરાત કનેક્શન
કુન્નૂરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના 12 જવાનો શહીદ થતા,સમગ્ર દેશના નાગરિકો શૂન્ય મનસ્ક થયા છે. CDS જનરલ બીપીન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત બંનેએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. કુલ 13 જણાના જીવ લેનારી આ ગોઝારી દુર્ઘટનામાં એક માત્ર જવાન બચી ગયા છે તે છે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ. વરુણ સિંહને એયર લીફ્ટ કરી બેન્ગાલુરુની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.ત્યારે, વરુણ સિંહનો ગુજરાતના કચ્છ સાથેનો અતૂટ નાતો રહ્યો છે.કુન્નૂરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એક માત્ર બચી ગયા છે.તમને જાણીને નવાઈ લાગશે કે,વરુણ સિંહનો અભ્યાસ કચ્છના ગાંધીધામમાં થયો હતો.
1996 થી 98 ગાંધીધામમાં અભ્યાસ
વરુણ સિંહના પિતા કે.પી.સિંહ 50 LTએયર ડિફેન્સ યૂનિટમાં કર્નલ હતા. 1995માં કર્નલ સિંહની બદલાઈ કચ્છના ગાંધીધામમાં થઇ હતી.પરિણામે,વરુણ સિંહ થોડા સમય માટે પરિવાર સાથે ગાંધીધામમાં વસવાટ કરી ગયા છે. કર્નલ કે.પી.સિંહ મીઠી રોહર વિસ્તારમાં આવેલા BSF કેમ્પના ક્વાટરમાં રહેતા હતા. આ દરમિયાન વરુણ સિંહ ગાંધીધામની કેન્દ્રિય વિધાલયના વિધાર્થી રહ્યા હતા.વરુણ સિંહે ધોરણ 9 અને 10માં ગાંધીધામની કેન્દ્રીય વિધાલયના વિધાર્થી તરીકે પરીક્ષા આપી હતી. 1996થી 98ના સમયગાળામાં અહીં અભ્યાસ કરી ચુકેલા વરુણ સિંહને તેમના શિક્ષકો આજે પણ એ દિવસોને યાદ કરી તેમના સ્વાસ્થ્યની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.