દૂધને ખૂબ જ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. આ જ કારણથી લગભગ બધાં જ દૂધનું સેવન કરે છે. પણ ઘણાં લોકો એવા પણ હોય છે જેમને દૂધ બિલકુલ પસંદ આવતું નથી. હકીકતમાં ઘણાં લોકોનું એવું માનવું છે કે, સવારે દૂધ પીવાથી તેમનો મૂડ ઓફ થઈ જાય છે. આયુર્વેદમાં પણ દૂધ ખાલી પેટ પીવાની મનાઈ છે. સવારે ખાલી પેટ દૂધ પીવાના નુકસાન ચાલો જાણીએ.
દૂધને ખૂબ જ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે
પણ ખાલી પેટ દૂધ પીવું નુકસાનકારક છે
આયુર્વેદમાં છે મનાઈ
આયુર્વેદ મુજબ, જો તમને વાત પિત્તવાળા આહારનું સેવન ક્યારેય સવારે ખાલી પેટ ન કરવું જોઈએ. તેનાથી ખાંસી અને ખાસ કરીને કફની સમસ્યા થઈ શકે છે. જે લોકો ખાંસી અને ફ્લૂ વધુ થતું હોય છે તેમણે સવારે ખાલી પેટ દૂધ ક્યારેય પીવું નહીં. તેનાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
આખો દિવસ થાક લાગે છે
દૂધ એક ભારે આહાર છે. જેને પચવામાં વધુ સમય લાગે છે. જો તમે એવું વિચારતા હોવ કે, દૂધ પીવાથી તમારા શરીરમાં આખો દિવસ તાકાત રહેશે તો તમે ખોટું વિચારો છો. એના વિપરીત દૂધ પીવાથી તમને ઊંઘ આવશે અને થાક અનુભવાશે.
પેટમાં ભારેપણું
જો તમે રોજ સવારે દૂધ પીવો છો તો તેનાથી તમને આખો દિવસ પેટમાં ભારેપણું લાગી શકે છે. ઘણીવખત તેના કારણે પેટમાં ગરબડ પણ થઈ જાય છે. જેના કારણે પરેશાની થાય છે. સાથે જ આપણાં પાચનતંત્રને દૂધ પચાવવામાં ઘણી મહેનત કરવી પડે છે. જેના કારણે પેટ ખરાબ થઈ શકે છે. જેથી તમે રાતે સૂતા પહેલાં દૂધ પી શકો છો.
મૂડ ખરાબ કરી શકે છે
જે લોકો સવારે દૂધ પીવે છે તેમને કદાચ આવો અનુભવ થયો હશે. સવારે ખાલી પેટ દૂધ પીવાથી ઘણીવાર ગભરામણ અને ઉબકાની સમસ્યા પણ થાય છે, મોંનો સ્વાદ ખરાબ થઈ જાય છે. જેના કારણે મૂડ ખરાબ થાય છે. સાથે જ ચિડિયાપણું અનુભવાય છે. જેથી દૂધનું સેવન સવારે કરી રહ્યાં છો તો તેની સાથે કંઈક ખાઓ. ખાલી દૂધ પીવું નહીં. તેમાં તમે તજ પાઉડર કે એલચી નાખી શકો છો.